Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Jammu Kashmir Terrorist Attack : અનંતનાગમાં આતંકીઓ સાથે અથડામણમાં કર્નલ, મેજર અને ડીએસપી શહીદ

10:28 AM Sep 14, 2023 | Hiren Dave

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની બે અથડામણમાં ત્રણ અધિકારીઓ અને બે જવાનો શહીદ થયા છે. તેમજ એક સૈનિક લાપતા છે. શહીદ થયેલા અધિકારીઓમાં સેનાના કર્નલ, એક મેજર અને પોલીસ ડીએસપીનો સમાવેશ થાય છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીએસપી હુમાયુ ભટ્ટ તેમના પરિવારમાં તેમની પત્ની અને બે મહિનાની પુત્રી છે. ગયા વર્ષે જ તેના લગ્ન થયા હતા. ડીએસપી હુમાયુ ભટ્ટ ભૂતપૂર્વ ડીઆઈજી ગુલામ હસન ભટ્ટના પુત્ર હતા અને મૂળ પુલવામા જિલ્લાના ત્રાલના હતા.