સુરત શહેરના જહાજ નિર્માણના ગૌરવભરી વિરાસતના બહુમાન માટે નૌકા દળે યુદ્ધજહાજને (Battleship) ‘સુરત’ નામ આપ્યું છે ત્યારે સુરત શહેરમાં યોજાયેલા એક વાઇબ્રન્ટ સમારંભ દરમિયાન ભારતીય નૌકાદળના અત્યાધુનિક, નિર્માણાધીન, ગાઇડેડ મિસાઇલ વિધ્વંસક યુદ્ધ જહાજ ‘સુરત’ના પ્રતીકનું અનાવરણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. નૌકાદળના (Navy) સ્ટાફના વડા એડમિરલ આર. હરિ કુમાર અને રાજ્ય સરકાર તેમજ ભારતીય નૌકાદળના વરિષ્ઠ મહાનુભાવો અને અધિકારીઓ આ અવસરે ઉપસ્થિતિ રહ્યા હતા.
આ પણ વાંચો : Watch : હવે મુખવાસ ખાતા પહેલા ચેતી જજો…, રાજકોટમાંથી 1 ટન જેટલો ભેળસેળિયો મુખવાસ જપ્ત કરાયો