અમદવાદમાં પતિ- પત્ની વચ્ચેના ઝઘડાનો ભોગ 5 વર્ષનું માસૂમ બાળક બન્યું છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી 5 વર્ષનો રિયાન થોડા સમય પહેલાં ગાયબ થઈ ગયો હતો. રિયાનને શોધવા માટે પોલીસ અને પરિવારજનોએ રાત દિવસ એક કરી નાંખ્યા હતાં. ત્યારે રિયાનનો મૃતદેહ કેનાલમાંથી મળી આવતાં પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ કિસ્સામાં પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રિયાનની બહેન અને બનેવી વચ્ચે ઝગડો થયો હતો. જેની અદાવતમાં બનેવીએ રિયાનનું પહેલાં અપહરણ કર્યું હતું અને બાદમાં તેની હત્યા કરી મૃતદેહ ચાંગોદર કેનાલમાં ફેંકી દીધો હતો. આ અંગે દાણીલીમડા પોલીસે આરોપી બનેવીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ 5 વર્ષના સાળાની હત્યા કરી
09:36 PM Apr 28, 2023 | Vipul Pandya