અહેવાલ – વિશ્વાસ ભોજાણી
જસદણ તાલુકાના ડોડીયાળા ગામે ભુરાયા થયેલાં ખુંટીયાએ વૃદ્ધાને અડફેટે લઇ પછાડી દઇ ખુંદી નાખતા ગંભીર ઇજાને કારણે તેમનું મોત નિપજ્યુ હતું.
પ્રાપ્ત વિગત મુજબ ડોડીયાળા રહેતા શાંતાબેન ચકુભાઇ વાસાણી ઉ.70 સવારે 10 વાગ્યેની આસપાસ મોટા દિકરાના ઘરેથી ચાલીને નાના દિકરાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે પ્લોટ વિસ્તારમાં ભુરાયા થયેલા ખુંટીયાએ વૃદ્ધાને અડફેટે લઇ પછાડી દઇ રીતસરના ખુંદી નાખતા પાંસળી સહિત શરીરમાં ગંભીર ઇજાઓ થઇ હતી. જેના કારણે વૃદ્ધાને તુરંત ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.પરંતુ સારવાર મળે તે પહેલા તેમનું મોત નિપજ્યું હતુ.
મૃતક શાંતાબેન ને બે પુત્રો છે. મોટા પુત્ર હરેશભાઈ ડેરીફાર્મનો વ્યવસાય કરેછે. જ્યારે નાના પુત્ર દિલીપભાઈ ખેતીકામ કરે છે. શાંતાબેન નાનાપુત્ર સાથે રહેતા હતા. સવારે હરેશભાઈના ઘરેથી નાના પુત્ર દિલીપભાઈને ત્યા જઇ રહ્યા હતા. બનાવ બાદ ગામ લોકોએ ખુંટીયાને પકડી બાંધી દીધો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે