+

‘ઢોર અંકુશ નિયંત્રણ કાયદો રદ કરો ‘- 14 માંગ સાથે શેરથામાં માલધારી સમાજનું મહાસંમેલન

ગીર બરડા આલેજમાં માલધારીએઓને ન્યાય મળે તે માટે આજે સંમેલન થયું છે. માલધારી સમાજ દ્વારા  સરકાર સામે 14 માંગણીઓ માલધારી સમાજ દ્વારા કરવામાં આવી છે. ગાંધીનગરમાં આજે માલધારી સમાજનું વેદના સંમેલન થયું છે. ખાસ કરીને સરકાર દ્વારા એક તરફરખડતાં ઢોરના રંજાડના કિસ્સા સામે ન્યાયપાલિકા સરકારને કડક હાથે કાર્યવાહી કરવાની વાત કરી રહ્યી છે.  ઢોર અંકુશ નિયતરણ કાયદાનો કડક અમલ કરાવવા  ફિટકાર કરી à
ગીર બરડા આલેજમાં માલધારીએઓને ન્યાય મળે તે માટે આજે સંમેલન થયું છે. માલધારી સમાજ દ્વારા  સરકાર સામે 14 માંગણીઓ માલધારી સમાજ દ્વારા કરવામાં આવી છે. ગાંધીનગરમાં આજે માલધારી સમાજનું વેદના સંમેલન થયું છે. ખાસ કરીને સરકાર દ્વારા એક તરફરખડતાં ઢોરના રંજાડના કિસ્સા સામે ન્યાયપાલિકા સરકારને કડક હાથે કાર્યવાહી કરવાની વાત કરી રહ્યી છે.  ઢોર અંકુશ નિયતરણ કાયદાનો કડક અમલ કરાવવા  ફિટકાર કરી રહ્યી છે. ત્યારે બીજીતરખ માલધારી સમાજ દ્વારી આ કાયદા અને કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કરાિ રહ્યો છે. આજે ગાંધીનગરના શેરથા ખાતે આ મુદ્દે માલધારી મહાપંચાયત વેદના સંમલેન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો જોડાયાં હતા. સાથે જ માલધારી સમાજના આગેવાનો, સામાજીક કાર્યકરો, કોંગ્રેસ ધારાસભ્ય લાખા ભરવાડ અને રઘુ દેસાઇ  પણ આ સામાજિક આંદોલનમાં ઉપસ્થિત હતાં સાથે જ સમાજના 40થી વધુ ભૂવાજીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. 
શું  માંગણીઓ છે માલધારી સમાજની 
1. પશુ પાલકો અને માલધારીઓ વિરોધી કાળો કાયદો (ઢોર નિયંત્રણ બીલ) રદ કરવો
2. સૌરાષ્ટ્રના ગીર બરડા આલેચ વિસ્તારોમા વસતા 19 હજાર પરિવારોને મળતા એસટી અનામતના લાભો સાથે          કોઈપણ જાતની છેડાછાડ કરવી નહીં 
3. સહકારી ક્ષેત્રે ગોપાલક મંડળીઓના મતાધિકાર પુન સ્થાપિત કરવા
4. સરકાર દ્વારા મંજૂર કરવામાં આવતી ટીપીના નિયમમાં ફેરફાર કરવો અને દરેક ટીપીમાં ગૌશાળાનું નિર્માણ કરવું 
5. ઓઢવ,અમરાઈવાડી, જશોદાનગર જેવી માલધારી વસાહતો કાયદેસર કરવી તથા શહેરોથી અમુક અંતરે નવી પશુપાલનનો વ્યવસાય કરતા માલધારીઓ માટે શહેરથી નજીકના અંતરે વસાહતોનું નિર્માણ કરવું 
6. વધુમાં વધુ નંદી હોસ્ટેલોનું નિર્માણ કરવું 
7. જંગલની જમીન અને વિરડીઓની જમીન માલધારીઓને પહેલાની જેમ પશુઓને ચારવા માટે લીઝ પર આપવી 
8. જાતિ આધારિત જનગણના કરવામાં આવવી જોઈએ 
9. ઓબીસી સમાજને પંચાયતો, સ્વાયત સંસ્થાઓ તથા સહકારી ક્ષેત્ર મા 28% અનામત આપવી 
10. ઢોર અંકુશ નિયંત્રણ કાયદો રદ કરવામાં આવે 
11  ગૌચરોની જમીન પરત કરવામાં આવ
13. ઢોરવાડા માલધારીઆેના ઘર નજીક બનાવી આપવામાં આવે
14. તંત્ર જે ગાયોને પકડી જાય છે તેને દંડ લઈ છોડી મુકવામાં આવે 

માલધારી સમાજના આગેવાન અને કોંગ્રેસના ધારાસભ્ય રધુ દેસાઇએ કહ્યું કે આજના આ સંમેલનનાં માલધારી સમાજ દ્વારા કોર્પોરેશન દ્વારા જે ગાયો પકડી જવામાં આવે છે તેને દંડ લઈ છોડી મુકવામાં આવે તે મામલે પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત આજની આ મહત્વની બેઠકમાં વિધાનસભાના સત્ર દરમ્યાન ઘેરાવો કરવા મામલે પણ ચર્ચા કરવામાં આવી છે.

 

આ પણ વાંચો- માલધારી સમાજના દુધાળા પશુઓના મોત પાંજરાપોળ ખાતે થતા હોબાળો

Whatsapp share
facebook twitter