Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

R Subbalakshmi: પ્રખ્યાત મલયાલમ અભિનેત્રી આર સુબ્બલક્ષ્મીનું નિધન, 87 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા..

09:34 AM Dec 01, 2023 | Hiren Dave

પ્રખ્યાત મલયાલમ અભિનેત્રી આર સુબ્બલક્ષ્મીનું નિધન થયું છે. 30 નવેમ્બર, ગુરુવારની રાત્રે તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું. તેમના નિધનના સમાચાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૂત્રોના હવાલાથી આ સમાચાર મળ્યા છે. તેમણે 87 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના નિધનથી મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ખૂબ જ આઘાત લાગ્યો છે. તે મલયાલમ સિનેમાની જાણીતી અભિનેત્રીઓમાંની એક હતી.તિરુવનંતપુરમની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધામલયાલમ અભિનેત્રી આર સુબ્બલક્ષ્મી પણ કર્ણાટક સંગીતકાર અને ચિત્રકાર હતા. તે મલયાલમ સિનેમાની આઇકોનિક સહાયક અભિનેત્રીઓમાંના એક હતા. મલયાલમ ફિલ્મોમાં તે ઘણીવાર પ્રભાવશાળી નમ્રતા અને કૌશલ્ય સાથે દાદીની ભૂમિકા ભજવતા હતા. કેરળના તિરુવનંતપુરમની એક ખાનગી હોસ્પિટલમાં ગુરુવારે મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.આર સુબ્બલક્ષ્મીને આ રોલથી ખાસ ઓળખ મળી હતીઆર સુબ્બાલક્ષ્મીને મલયાલમ ફિલ્મોમાં તેમના ઉત્તમ અભિનય માટે ઓળખવામાં આવતા હતા. તેમના કેટલાક પાત્રોને દર્શકોએ ખૂબ પસંદ કર્યા હતા, જેના કારણે અભિનેત્રીને ખાસ ઓળખ મળી હતી. જેમાં કલ્યાણરામન (2002), નંદનમ (2002) અને પંડિપ્પા (2005) જેવી ઘણી લોકપ્રિય ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફિલ્મોમાં તેમણે ભજવેલા પાત્રને કારણે અભિનેત્રીને ઘણી ઓળખ મળી હતી.કેરળના સીએમએ આર સુબ્બલક્ષ્મીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતોઅમે તમને જણાવી દઈએ કે દિવંગત અભિનેત્રીએ માત્ર તેની ઓન-સ્ક્રીન હાજરી માટે જ નહીં પરંતુ સાથી મલયાલમ ફિલ્મ અભિનેત્રી થારા કલ્યાણની માતા તરીકે પણ કાયમી ઓળખ છોડીને આ દુનિયા છોડી દીધી છે. તેમના નિધનના સમાચારથી મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમના નિધનના સમાચાર બાદ ઈન્ડસ્ટ્રી અને તેમના ફેન્સ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને મલયાલમ ફિલ્મ અભિનેતા દિલીપે પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

 

આ  પણ  વાંચો –થઈ જાઓ તૈયાર ! આ તારીખે રિલીઝ થવા જઈ રહી છે હૃતિક રોશન અને જુ.NTR ની ફિલ્મ WAR 2