Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

RASHI : 24 કલાકમાં પલટાઈ જશે ત્રણ રાશિના લોકોનું ભાગ્ય, એક મહિનાની અંદર મળશે પદ- પૈસા- પ્રગતિ

01:29 PM Apr 12, 2024 | Hiren Dave

RASHI : સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન (Rashi change) કરીને એક વર્ષે પોતાનું રાશિચક્ર પૂર્ણ કરે છે. હાલમાં સૂર્ય મીન રાશિમાં (Sun in Pisces) ભ્રમણ કરી રહ્યા છે. સૂર્ય મીન રાશિમાં નબળા હોવાથી આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય નથી કરવામાં આવતું અને આ મહિનાને ખરમાસ કહેવાય છે. 13 એપ્રિલે સૂર્ય મીન રાશિમાંથી બહાર નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કરશે.

 

સૂર્યનું આ ગોચર ખરમાસ પણ સમાપ્ત કરશે.તેનાથી ઘણી રાશિના લોકોના જીવનમાં ખરાબ દિવસોનો પણ અંત આવશે. સાથે જ, આ સૂર્ય ગોચર ત્રણ રાશિના લોકો માટે સૌભાગ્ય લાવી શકે છે.ચાલો જાણીએ કે ૧૩ મી એપ્રિલે રાત્રે 09:15 કલાકે સૂર્ય મેષ રાશિમાં આવવાથી કઈ રાશિના જાતકોને ઘણો ફાયદો થશે. રાશિઓ પર સૂર્ય ગોચરની અસર

વૃષભ

સૂર્યનું આ ગોચર વૃષભ રાશિના લોકોને ઘણો લાભ આપશે. આ રાશિના લોકોને બિઝનેસમાં મોટો ફાયદો થશે. તમને દરેક કાર્યમાં સફળતા મળશે. આ લોકોને કોઈ મોટી કંપની અથવા વિદેશમાંથી નવી નોકરીની ઓફર મળી શકે છે. પદ અને આવકમાં વધારો થવાથી સમાજમાં તમારું સન્માન પણ વધશે. અચાનક આર્થિક લાભ થવાની શક્યતાઓ રહેલી છે. કરિયર માટે આ સમય ખાસ કરીને ફાયદાકારક છે. તમને પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે.

મિથુન

મિથુન રાશિના લોકો માટે સૂર્યનું આ ગોચર ઘણું સારું સાબિત થઈ શકે છે. આ લોકોને કરિયરમાં ઉન્નતિ મળશે. આગળ વધવાની નવી તકો મળશે. પ્રમોશન મળવાની શક્યતાઓ છે. સરકારી નોકરી કરતા લોકો ઉચ્ચ વહીવટી પોસ્ટ મેળવી શકે છે. નવો વ્યવસાય શરૂ કરવા માટે સમય સારો છે. આ સમય તમારા સન્માનમાં પણ વધારો કરશે.

સિંહ

આ સૂર્ય ગોચર સિંહ રાશિના લોકો માટે મોટી રાહત લાવી શકે છે. આ લોકો જીવનમાં ખૂબ પ્રગતિ કરી શકે છે. બેરોજગાર લોકોને રોજગાર મળી શકે છે. કરિયર સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. તમે તમારી પ્રતિભાના આધારે સારું કામ કરશો. આ ઉપરાંત, તમને ક્યાંકથી નોકરીની ઓફર પણ મળી શકે છે. પિતાના સહયોગથી મોટા કામ પૂરા થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે.

(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત ફર્સ્ટ તેની પુષ્ટિ નથી કરતું.)

 

આ  પણ  વાંચો  – Shani -Mangal : મંગળ-શનિ કરશે કમાલ.. ચમકશે પાંચ રાશિના લોકોનું ભાગ્ય

આ  પણ  વાંચો  RASHI : આ 3 રાશિના જાતકોને 20 દિવસ પછી થશે અઢળક ફાયદો

આ  પણ  વાંચો  – CHAITRA NAVRATRI: ચૈત્ર નવરાત્રીનો આજે ચોથો દિવસ, આ મુહૂર્તમાં કરો માતા કુષ્માંડાની પુજા