Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

India Covid Update: કોરોના કહેર બન્યો ફરી શક્તિશાળી, દેશમાં 148 લોકો થયાં પૉઝિટિવ

04:55 PM Dec 09, 2023 | Aviraj Bagda

દેશમાં ફરી કોરોના દ્વારા વિકટ પરિસ્થિતિ આવવાની શક્યતા

વિશ્વભરમાં હજારો લોકોનો ભોગ લેનાર કોરોના મહામારી હજુ પણ ચિંતાનો વિષય છે. ભારતમાં શિયાળાની શરૂઆત સાથે જ કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા છે. તેના કારણે દેશમાં ફરી કોરોના દ્વારા વિકટ પરિસ્થિતિ આવવાની શક્યતા છે.

આરોગ્ય વિભાગના અહેવાલ પ્રમાણે, ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના ચેપના 148 નવા કેસ નોંધાયા છે. આ માહિતી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટામાં આપવામાં આવી છે. તેના અંતર્ગત દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા વધીને 808 થઈ ગઈ છે જે ચિંતાજનક છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટા

આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, અત્યાર સુધીમાં કોરોના વાયરસના ચેપના કુલ કેસોની સંખ્યા 4 કરોડ 50 લાખ 2 હજાર 889 છે. જ્યારે મૃતકોની સંખ્યા 5 લાખ 33 હજાર 306 છે.

તે ઉપરાંત જારી કરાયેલા હેલ્થ બુલેટિન અહેવાલમાં સામે આવ્યું છે કે 4 કરોડ 44 લાખ 68 હજાર 775 લોકો ચેપમાંથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. તે પરથી સાબિત થઈ શકે છે કે… દેશમાં કોરોના વાયરસથી સાજા થવાનો દર 98.81 ટકા છે જ્યારે મૃત્યુ દર માત્ર 1.19 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, અત્યાર સુધીમાં દેશભરમાં એન્ટી-કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

પરંતુ કોરોના પછી ચીનમાં રહસ્યમય ન્યુમોનિયાનો વાયરસ ફેલાયો છે અને ચીનમાં કેટલાક કેસ પણ જોવા મળ્યા છે, જેને લઈને કેન્દ્રએ પહેલાથી જ એલર્ટ જાહેર કરી દીધું છે. દરમિયાન, કોરોનાના નવા કેસોમાં વધારાને કારણે દેશમાં ફરી એકવાર ચિંતા વધવા લાગી છે.

 

આ પણ વાંચો: યુપી પોલીસ વિભાગમાં 42 ASP ને લઈને દોડી ટ્રાન્સફર એક્સપ્રેસ