Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Indian Railways : રેલ્વે મુસાફરોને મોટી રાહત, ચૂંટણી પહેલા પેસેન્જર ટિકિટ ભાડામાં 50% ઘટાડો…!

11:31 PM Feb 27, 2024 | Dhruv Parmar

લોકસભા ચૂંટણી પહેલા રેલ્વે (Indian Railways)એ મુસાફરોને ખુશખબર આપી છે. મુસાફરોને રાહત આપતા ભારતીય રેલ્વે (Indian Railways)એ ટ્રેનના ભાડાને કોવિડ પહેલાના સ્તર પર લાવવાનો નિર્ણય કર્યો છે. ભારતીય રેલ્વેએ લાંબી રાહ જોયા બાદ રેલ્વે મુસાફરોને મોટી રાહત આપી છે. રેલવે મુસાફરોને રાહત આપતા ભારતીય રેલ્વે (Indian Railways)એ પેસેન્જર ટ્રેનના ભાડામાં 50 ટકા સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. પેસેન્જર ટ્રેનોમાં દરરોજ મુસાફરી કરતા મુસાફરોને આનો મહત્તમ લાભ મળશે.

તમને જણાવી દઈએ કે, રેલ્વે (Indian Railways)એ ટિકિટના ભાવને કોરોના પહેલાના સ્તર પર લાવવાનો નિર્ણય કર્યો છે. ભારતીય રેલ્વે (Indian Railways)એ કોવિડના સમયે ટ્રેન ટિકિટના ભાડામાં વધારો કર્યો હતો, જેથી ભીડને નિયંત્રિત કરી શકાય. હવે ભાવ વધારો ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય રેલ્વેના આ નિર્ણયથી ટ્રેન ભાડામાં લગભગ અડધો ઘટાડો થશે.

પેસેન્જર ટ્રેન માટે એક્સપ્રેસ ભાડું ચૂકવતા હતા

ઈકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, રેલવેએ તમામ મેનુ ટ્રેનોના ભાડામાં 50 ટકાનો ઘટાડો કર્યો છે. કોવિડ રોગચાળા દરમિયાન ભીડ ઘટાડવા માટે પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી હતી. લોકડાઉન સમાપ્ત થયા પછી, રેલ્વેએ પેસેન્જર ટ્રેનોનું વર્ગીકરણ કર્યું અને તેને એક્સપ્રેસ ટ્રેનોના ભાડા સાથે જોડ્યું, જેનો અર્થ છે કે લોકોએ પેસેન્જર ટ્રેનો માટે એક્સપ્રેસ ટ્રેનોનું ભાડું ચૂકવવું પડ્યું. જેના કારણે રોજેરોજ મુસાફરી કરતા મુસાફરોને સૌથી વધુ નુકસાન વેઠવું પડી રહ્યું છે. મુસાફરોને રાહત આપતા, 27 ફેબ્રુઆરીથી, રેલ્વેએ ફરીથી પેસેન્જર ટ્રેનોમાં બીજા વર્ગનું ભાડું લાગુ કર્યું છે. રેલ્વેએ તમામ મેનૂ ટ્રેનોના ભાડામાં 50% જેટલો ઘટાડો કર્યો છે. રેલવેએ અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ એપમાં ભાડા અંગેના નવા નિયંત્રણોમાં પણ સુધારો કર્યો છે.

કોવિડને કારણે ટ્રેનની ટિકિટમાં વધારો થયો હતો

ભારતીય રેલવેએ કોવિડ દરમિયાન ટ્રેનના ભાડામાં વધારો કર્યો હતો. ટ્રેનોમાં ભીડ ઘટાડવા માટે મુસાફરો પાસેથી એક્સપ્રેસ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને પણ એક્સપ્રેસ ભાડું ચૂકવવું પડતું હતું. રેલવેના આ નિર્ણયથી દરરોજ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને સૌથી વધુ ફાયદો થશે.

આ પણ વાંચો : Paytm : વિજય શેખર શર્માએ Paytm Payment Bank ના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું, બોર્ડનું સભ્યપદ પણ છોડ્યું…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ