- તમિલનાડુ સરકારની કેબિનેટમાં મોટા ફેરબદલ
- ઉદયનિધિ સ્ટાલિનને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા
- રવિવારે બપોરે 3.30 વાગ્યે લેશે શપથ
Tamil Nadu:તમિલનાડુ (Tamil Nadu)સરકારની કેબિનેટ(Cabinet)માં મોટા ફેરબદલની માહિતી સામે આવી છે. સરકારે ઉદયનિધિ સ્ટાલિનને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે. તેઓ રાજ્યના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર છે. તમિલનાડુ સરકારની કેબિનેટમાં મોટા ફેરબદલની માહિતી સામે આવી છે. ઉપરાંત, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને રાજ્યપાલને ઉદયનિધિ સ્ટાલિનને ડેપ્યુટી (Deputy Cm)સીએમ તરીકે નોમિનેટ કરવાની ભલામણ કરી હતી. રાજ્યપાલે આ ભલામણોને સ્વીકારી લીધી છે અને તેઓ રવિવારે બપોરે 3.30 વાગ્યે ચેન્નાઈના રાજભવનમાં શપથ લેશે. ઉદયનિધિ મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર છે.
સીએમ એમકે સ્ટાલિનના પુત્ર ડેપ્યુટી સીએમ બન્યા
શનિવારે કેબિનેટમાં ફેરબદલ બાદ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તાજેતરમાં જ જામીન પર છૂટેલા DMK નેતા સેંથિલ બાલાજીને પણ રવિવારે ફરીથી મંત્રી બનાવવામાં આવશે. કે પોનમુડીને ઉચ્ચ શિક્ષણમાંથી હટાવી નવા મંત્રી ચેઝિયનને આ વિભાગ આપવામાં આવ્યો છે, જ્યારે રાજકનપ્પનને ડેરી વિકાસ વિભાગ આપવામાં આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે ડીએમકે પાર્ટી અને સરકાર બંનેમાં ઉધયનિધિ સ્ટાલિનનું કદ વધશે. ડીએમકેના વડા એમ કરુણાનિધિએ તેમના પુત્ર એમકે સ્ટાલિનને સત્તા સ્થાનાંતરિત કરી તે જ તર્જ પર હવે એમકે સ્ટાલિન પણ તેમના પુત્ર ઉધયનિધિ સ્ટાલિનનું કદ વધારી રહ્યા છે.
Tamil Nadu CM MK Stalin has recommended to induct V Senthilbalaji, Dr Govi Chezhiaan, R Rajendran and SM Nasar into the Council of Ministers. The Governor has approved the recommendations. The Swearing-in-Ceremony of the Ministers designate will be held on September 29, at 3.30… https://t.co/WYgaWfKpmX pic.twitter.com/BKL7EaUzk3
— ANI (@ANI) September 28, 2024
આ પણ વાંચો –50 વર્ષ બાદ ઉત્તર બિહારની ‘કોસી’ નદીમાં પૂરનું સંકટ, 13 જિલ્લામાં એલર્ટ જાહેર
ઉધયનિધિએ આ બાબતોને ફગાવી દીધી હતી
તમિલનાડુના મંત્રી થા મો અન્બરાસને ગુરુવારે જ કહ્યું હતું કે મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિનને આગામી 7 થી 10 દિવસમાં તમિલનાડુના ઉપમુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે બુધવારે ઉધયનિધિ સ્ટાલિને તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવાની અટકળોને ફગાવી દીધી હતી. બુધવારે પત્રકારો સાથે વાત કરતા ઉધયનિધિએ પૂછ્યું હતું કે, ‘આ કોણે કહ્યું?’ તેમણે કહ્યું, “આ સીએમ દ્વારા નક્કી કરવામાં આવશે, અને તમે આ અંગે કોઈ નિર્ણય લઈ શકતા નથી. બધા મંત્રીઓ સીએમની સાથે છે અને રહેશે. તમારે આ વિશે સીએમને પૂછવું પડશે. આ નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર સીએમનો છે. આ અંગે નિર્ણય.”