+

WFI Election: WFI માં જાતિય શોષણની સમસ્યા પર વધું એક ખેલાડીએ પદ્મશ્રીનો ત્યાગ કર્યો

WFI માં જાતિય શોષણની સમસ્યાનો નિકાલ ક્યારે આવશે ? WFI માં ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનો દબદબો યથાવત છે. બ્રિજ ભૂષણ સિંહના ખૂબ જ નજીકના સંજય સિંહને WFI ના પ્રમુખ…

WFI માં જાતિય શોષણની સમસ્યાનો નિકાલ ક્યારે આવશે ?

WFI માં ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનો દબદબો યથાવત છે. બ્રિજ ભૂષણ સિંહના ખૂબ જ નજીકના સંજય સિંહને WFI ના પ્રમુખ પદ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે દિગ્ગજ કુસ્તીબાજો સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ બ્રિજભૂષણ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન જારી કર્યું હતું.

દિગ્ગજ ખેલાડી સાક્ષી મલિક પછી વધું એક ખેલાડીએ પદ્મશ્રીનો ત્યાગ કર્યો

ત્યારે તાજેતરમાં જ સાક્ષી મલિકે 21 ડિસેમ્બર એક પત્રકાર પરિષદમાં કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તેણે તેના બૂટ ટેબલ પર છોડી દીધા હતા. ત્યાર બાદ 22 ડિસેમ્બરે બજરંગ પુનિયાએ એક મોટી જાહેરાત કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કહ્યું કે તેઓ સરકારને પદ્મશ્રી પરત કરશે. બજરંગ પુનિયાએ પીએમ મોદીને પત્ર લખીને કહ્યું કે તમે જાણતા જ હશો કે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં દેશની મહિલા કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ સિંહ પર જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો હતો. જ્યારે મહિલા કુસ્તીબાજોએ તેમનું આંદોલન શરૂ કર્યું ત્યારે હું પણ તેમાં જોડાયો હતો. જ્યારે તેઓ પત્ર પીએમ આવાસ પર પહોંચાડવા ગયા હતાં, ત્યારે તેમને ગેટ પર રોકી દેવામાં આવ્યાં હતાં. ત્યારે તેમણે તેમનો પદ્મશ્રી ફૂટપાથ પર છોડીને ત્યાંથી ચાલ્યા ગયા હતાં.

બ્રિજભૂષણે 21મી ડિસેમ્બરે યોજાયેલી રેસલિંગ એસોસિએશનની ચૂંટણીમાં ફરી એકવાર જીત મેળવી હોય તેવું સાબિત થઈ રહ્યું હતું. કારણ કે તે એવા સૂત્રા બોલી રહ્યાં હતા, એટલે કે વર્ચસ્વ છે અને વર્ચસ્વ રહેશે. ત્યારે મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણનો આરોપી ફરી ખુલ્લેઆમ કુસ્તીનું સંચાલન કરતા શરીર પર તેના વર્ચસ્વનો દાવો કરી રહ્યો હતો. આ માનસિક દબાણ હેઠળ ઓલિમ્પિક મેડલ જીતનારી એકમાત્ર મહિલા રેસલર સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લીધી.

આ પણ વાંચો: CSK ના ખેલાડી ફેશન ડિઝાઇનર નાભા ગડ્ડમવારની સાથે લગ્નગ્રંથીથી જોડાયા

Whatsapp share
facebook twitter