UP Hathras Tragedy: ઉત્તર પ્રદેશના Hathras થયેલી Tragedy એ દેશ-દુનિયાના દરેક લોકોના જીવ હચમચાવી નાખ્યા છે. હાથરમાં એક સત્સંગમાં જમા થયેલી ભીડમાં ભાગદોડ થવાથી 121 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે Russia ના રાષ્ટ્રપતિ Putine એ આ Tragedy પર શોક વ્યક્ત કર્યો હતો. તે ઉપરાંત રાષ્ટ્રપતિ Putine એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંવેદનશીલ પત્ર પણ લખીને મોકલી આપ્યો હતો.
-
રાષ્ટ્રપતિ Putine એ આ Tragedy પર શોક વ્યક્ત કર્યો
-
મોટા પ્રમાણમાં મહિલાઓ અને બાળકોના મોત નિપજ્યા
-
વાહનો 3 કિલોમીટર સુધી ફેલાયેલા હતાં
તો Russia માં આવેલા ભારતીય દૂતાવાસે Russia ના રાષ્ટ્રપતિ પુતિનની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તે પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રપતિ Putine એ ઉત્તર પ્રદેશના હાથરમાં થયેલી Tragedy ને લઈ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શોક વ્યક્ત કરતો પત્ર લખીને મોકલી આપ્યો હતો. જોકે આ Hathras માં થયેલી Tragedy પર જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાએ પણ શોક વ્યક્ત કર્યો છે. તે ઉપરાંત ભારત સરકાર દ્વારા Hathras ની Tragedy માં જે લોકોના મોત નિરજ્યા અને ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને આર્થિક મદદ પૂરી પાડવાનો પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી યોગીએ આદેશ જાહેર કર્યો છે.
મોટા પ્રમાણમાં મહિલાઓ અને બાળકોના મોત નિપજ્યા
Vladimir #Putin:
Please convey words of sympathy and support to the near and dear ones of the deceased as well as wishes for a speedy recovery of all injured. https://t.co/Vcqiy2UZo7
— Russia in India (@RusEmbIndia) July 3, 2024
હાથરમાં 2 જુલાઈના રોજ એક ભોલે બાબાનો સત્સંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 200 થી વધુ લોકો આવ્યા હતાં. ત્યારે સત્સંગ પૂર્ણ થતાની સાથે અચાનક ભીડમાં ભાગાદોડી થઈ પડી હતી. જેના કારણે મોટાભાગના લોકો અન્ય લોકો દ્વારા કચડાઈને મરી ગયા હતાં. તો આ Tragedy માં મોટા પ્રમાણમાં મહિલાઓ અને બાળકોના મોત નિપજ્યા છે. તો સંપૂર્ણ Tragedy સિંકદરરાઉ ક્ષેત્રના ફલરાઈ ગામની છે. અને આ સત્સંગ 150 વિધામાં ફેલાયેલા ખુલ્લા મેદાના યોજાયો હતો.
વાહનો 3 કિલોમીટર સુધી ફેલાયેલા હતાં
હાલમાં આ ઘટનાનો આરોપી ભોલે બાબા જેનું મૂળ નામ બાબા નારાયણ સાકાર હરિ છે, તે ફરાર છે. તે ઉપરાંત સત્સંગના આયોજકોને ઉત્તર પ્રદેશની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી રહ્યા છે. તો આ સત્સંગની જવાબદારી અને તૈયારી દેવ પ્રકાશ નામના વ્યક્તિએ કરી હતી. ત્યારે પોલીસે દેવ પ્રકાશને મુખ્ય રીતે આરોપી બનાવ્યો છે. તો સત્સંગ દરમિયાન પોલીસના પણ માત્ર 40 પોલીસકર્મીઓ જ હાજર હતાં. અને આ સત્સંગમાં આવેલા લોકોની સંખ્યા તેના પરથી નક્કી કરી શકાય છે કે, વાહનો 3 કિલોમીટર સુધી ફેલાયેલા હતાં.
આ પણ વાંચો: International Plastic Bag Free Day 2024: આ દિવસની શરુઆત આ માન્યતા સાથે યુરોપે વર્ષ 2009 માં કરી હતી