Gujarat Ministers At Ayodhya: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે આખું મંત્રીમંડળ અયોધ્યાના (Ayodhya) ઐતિહાસિક રામ મંદિરે જવા માટે રવાના થયું છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ (Gujarat First) પણ મંત્રીમંડળ સાથે અયોધ્યા જઈ રહી છે.
રામ મંદિરના નિર્માણ બાદ પ્રથમવખત ગુજરાતના નેતાઓ અયોધ્યાના રામ મંદિરે જશે. જણવી દઈએ કે, ગુજરાત ફર્સ્ટની ટીમ (Gujarat First) પણ ફરી એકવાર અયોધ્યા જઈ રહી છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પણ તેમની સાથે અયોધ્યાના તમામ સમાચાર ગુજરાતની જનતાને પહોંચાડશે.
ત્યારે મુસાફરી દરમિયાન રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંધવી અને તેમના સાથી મંત્રી મિત્રો દ્વારા રામલલાના નામના ભજનો અને રામધૂન બોલાવી હતી. તે ઉપરાંત વિવિધ મંત્રીઓ દ્વારા શ્રી રામનો જયઘોષ કરવામાં આવ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.