અમદાવાદના (Ahmedabad) નારણપુરા વિસ્તારમાં એક મોટી ઘટના ઘટી છે. પલ્લવ ચાર રસ્તા પાસે આવેલા એક ફ્લેટમાં ટાંકીની છત તૂટી પડતા રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. શ્રદ્ધાદીપ એપાર્ટમેન્ટના (Shraddhadeep apartment) 8 નંબરના બ્લોકની છત પડી જતાં બાળકી અને મહિલાનો આબાદ બચાવ થયો છે. 30 વર્ષ જૂના ફ્લેટ હાલ જર્જરિત અવસ્થામાં છે. આ ઘટના બાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ (Gujarat Housing Board) દ્વારા ભયજનક મકાનની નોટિસ લગાવવામાં આવી છે.
એપાર્ટમેન્ટના 8 નંબરના બ્લોકની છત અચાનક ધરાશાયી થઈ
અમદાવાદના (Ahmedabad) નારણપુરા (Naranpura) વિસ્તારમાં પલ્લવ ચાર રસ્તા (Pallava Char Road) પાસે શ્રદ્ધાદીપ એપાર્ટમેન્ટ આવેલ છે. એપાર્ટમેન્ટના 8 નંબરના બ્લોકની છત અચાનક ધરાશાયી થતાં રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. માહિતી મુજબ, આ ઘટનામાં એક બાળકી અને મહિલાનો આબાદ બચાવ થયો છે. 30 વર્ષ જૂના ફ્લેટ હાલ જર્જરિત હાલતમાં છે. 65 દુકાનો અને 100 મકાનો આ કોમ્પ્લેક્સમાં આવેલા છે. જો કે, ઘટનાના કલાકો બાદ પણ કાટમાળ સીડીઓ પર જોવા મળ્યો છે.
65 ટકા માલિકો રિ-ડેવલપમેન્ટ માટે તૈયાર
માહિતી મુજબ, આ ઘટના બાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ (Gujarat Housing Board) દ્વારા ભયજનક મકાનની નોટિસ લગાવવામાં આવી છે. રહીશોના જણાવ્યા મુજબ, 65 ટકા માલિકો રિ-ડેવલપમેન્ટ (re-development) માટે હાલ તૈયાર છે, જ્યારે અન્ય લોકો તૈયાર થાય તે માટે અનેક રજૂઆતો કરાઇ છે. જે બાદ પણ કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી. આ કારણે રહીશો ભય હેઠળ દિવસો વિતાવી રહ્યા છે. સદનસીબે, છત પડી જવાની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
આ પણ વાંચો – Rajkot GameZone Fire : શખ્સના ગંભીર આરોપ, કહ્યું- ‘મારી પત્ની સાથે સાગઠિયાનું અફેર…’!
આ પણ વાંચો – Ahmedabad : સોડા પીતા પહેલા બોટલ જરૂર ચેક કરજો, કાનખજૂરો નીકળ્યો હોવાનો યુવકનો આક્ષેપ
આ પણ વાંચો – મોકડ્રીલ : AK 47 સાથે 4 આંતકી સુરત એરપોર્ટમાં ઘૂસ્યા, 6 ને બંધક બનાવી 200 કરોડ માગ્યા