Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Agriculture News: વરસાદમાં આ પાકની ખેતી કરવાથી ખેડૂતોને લાખોનો થશે ફાયદો

04:24 PM Jul 11, 2024 | Aviraj Bagda

Agriculture News: દેશભરમાં લાંબા સમયથી ભીષણ ગરમીમાં તલપાપડ થતા સામાન્ય લોક અને ખાસ કરીને Farmers મેઘરાજાના આગમનની રાહ આતુરતાથી જોઈ રહ્યા હતાં. ત્યારે દેશના મોટાભાગનો રાજ્યો અને ખાસ કરીને ખેતી ક્ષેત્રે આગવી ભૂમિકા ભજવતા રાજ્યોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તો આ મુશળધારા વરસાદમાં Farmers ની આતુરતાનો અંત આવ્યો છે. ત્યારે Farmers ના Farms માં જળભરાવ જોવા મળી રહ્યો છે. તો ભીની માટીમાં જમીનની પાણીને ઝડપથી શોષી શકતી નથી. ત્યારે Farmers નો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જોકે આના કારણે પાકની ફળદ્રુપતામાં નુકસાન આવી શકે છે.

  • ફળદ્રુપતા ટકાવી રાખવા પાણી કાઢવાનું સૂચન

  • રાગીનું વાવેતર હાલ પૂરતું અપનાવવું

  • ખરીફ પાકોની વાવણીની સલાહ આપવામાં આવે

ત્યારે હવામાન વિભાગે Farmers ને પાકની જાળવણી માટે ખાસ સૂચના પાઠવી છે. તો અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ તેમજ પેટા-હિમાલયના પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, ઓડિશા, બિહાર, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ભાગો જેવા ઉત્તર-પૂર્વીય પ્રદેશોમાં પાકની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે વધારાનું પાણી કાઢવા સૂચન કર્યું છે. આ સૂચના પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત રાજ્ય, કેરળ, કર્ણાટક, તટીય આંધ્રપ્રદેશ અને તેલંગાણાને પણ લાગુ પડે છે.

રાગીનું વાવેતર હાલ પૂરતું અપનાવવું

આ ઉપરાંત યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ છોડના મૂળને સડવાથી અને અન્ય પાણીજન્ય રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે. જેના કારણે છોડને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને પોષક તત્વો મળતા રહે છે. રાગી, સોયાબીન, મકાઈ અને મગફળીની વાવણી કરવા માટે યોગ્ય સમયની સૂચના આપવામાં આવી છે. Farmers એ કોંકણ જેવા વિસ્તારોમાં ચોખા અને રાગીનું વાવેતર હાલ પૂરતું અપનાવવું જોઈએ.

ખરીફ પાકોની વાવણીની સલાહ આપવામાં આવે

તેવી જ રીતે મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં, ચોખાના રોપણી અને સોયાબીન, મકાઈ અને મગફળી સહિતના ખરીફ પાકોની વાવણીની સલાહ આપવામાં આવે છે. આ સૂચના પાકના વિકાસના પ્રારંભિક તબક્કામાં વધુ પડતા વરસાદની પરિસ્થિતિઓને ટાળવામાં મદદ કરશે, જે છોડના અંકુરણ અને વૃદ્ધિને અવરોધે છે. સમયસર અને અસરકારક વ્યૂહરચના અપનાવવા માટે હવામાનની આગાહીઓથી માહિતગાર અને કૃષિ સલાહોનું પાલન કરવું.

આ પણ વાંચો: Amarnath Yatra : અત્યાર સુધીમાં 2.5 લાખ ભક્તોએ કર્યા દર્શન