Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજ્યમાં કોરોનાના નવા 294 કેસ નોંધાયા, અમદાવામાં 114 કેસ, એક દર્દીનું મોત

11:04 PM Apr 14, 2023 | Vipul Pandya

રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 294 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 404 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.97 ટકા થઈ ગયો છે.
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 2018 એક્ટિવ કેસ છે. જેમાંથી 19 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1999 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,55,225 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 11,000 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
જો  આજે  કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 112 કેસ નોંધાયા છે અને એકનું મોત નોંધાયું છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 40, રાજકોટ કોર્પોરેશનમાં 16, સુરત 14, વલસાડ 13, સુરત કોર્પોરેશનમાં 10, ગાંધીનગર કોર્પોરેશનમાં 9, મહેસાણા 9, નવસારી 8, બનાસકાંઠા 7, જામનગર કોર્પોરેશનમાં 7, વડોદરા 7, ભરૂચ 7, કચ્છ 5, આણંદ 4,  પંચમહાલ 4, પાટણ 4, ભાવનગર કોર્પોરેશન 3, રાજકોટ 3, અમદાવાદ 2, ગાંધીનગર 2, જામનગર 2, સુરેન્દ્રનગર 2, અમરેલી 1, છોટા ઉદેપુર 1, ગીર સોમનાથ 1, ખેડા 1,સાબરકાંઠા 1, તાપી 1 એમ કુલ 294 કેસ નોંધાયા છે.
જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં 360775 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1255 ને રસીનો પ્રથમ અને 5502 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 
આજે રસીના  પ્રથમ 1673 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 35424 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 668 ને રસીનો પ્રથમ અને 3908 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 312224 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 12,16,40,272 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.