+

West Bengal : ચૂંટણી વચ્ચે TMC અને BJP કાર્યકરો વચ્ચેની અથડામણમાં 1નું મોત

West Bengal : પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા બે અલગ-અલગ ઘટનાઓએ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. કારણ કે, છઠ્ઠા તબક્કાના મતદાનના થોડા કલાકો પહેલા પૂર્વ મિદનાપુરમાં TMC…

West Bengal : પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા બે અલગ-અલગ ઘટનાઓએ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. કારણ કે, છઠ્ઠા તબક્કાના મતદાનના થોડા કલાકો પહેલા પૂર્વ મિદનાપુરમાં TMC કાર્યકરની હત્યા કરવામાં આવી હતી અને અન્ય TMC કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રથમ ઘટના પૂર્વ મિદનાપુરના મહિષદલની છે, જ્યાં ચૂંટણીની દુશ્મનાવટના કારણે શુક્રવારે રાત્રે એસકે મોઇબુલ નામના ટીએમસી કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. મૃતક ટીએમવાયસીના ઉપપ્રમુખ હતા. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે મોઇબુલ ગઇકાલે રાત્રે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ભાજપના કેટલાક લોકોએ તેની હત્યા કરી હતી. આ સંદર્ભે મહિષદલ પોલીસ સ્ટેશને ભાજપના 5 કાર્યકરોની ધરપકડ કરી છે.

તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે જોરદાર અથડામણ

બીજો કેસ પણ પૂર્વ મિદનાપુરનો છે. શુક્રવારે રાત્રે અહીંના બચ્ચા વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. જેમાં અનંત બિજલી નામનો તૃણમૂલ કોંગ્રેસ કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયો છે. તૃણમૂલનો આરોપ છે કે પીડિતને લોખંડના સળિયા અને વાંસ વડે માર મારવામાં આવ્યો હતો. તેને મૈના આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યો હતો, ત્યાંથી તેને તામલુક જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે યુવકની હાલત નાજુક છે.

આજે 25મી મેના રોજ છઠ્ઠા તબક્કા માટે મતદાન

તમને જણાવી દઈએ કે આજે 25મી મેના રોજ છઠ્ઠા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. દિલ્હીની 7, ઉત્તર પ્રદેશની 14, બિહારની 8, પશ્ચિમ બંગાળની 8, હરિયાણાની 10, ઝારખંડની 4, ઓડિશાની 6 અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે. તમામ સ્થળોએ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો કે બંગાળની આ બે ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.

22 મેના રોજ નંદીગ્રામમાં બીજેપી કાર્યકરની હત્યા કરવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે આ પહેલા પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક મહિલા ભાજપ કાર્યકરનું મોત થયું હતું. આ અથડામણમાં ભાજપના 7 કાર્યકરો પણ ઘાયલ થયા છે. આ ઘટના 22 મેના રોજ મોડી રાત્રે નંદીગ્રામના સોનચુરામાં બની હતી. અ

બેરકપુરમાં પણ હિંસાનો મામલો સામે આવ્યો છે.

હાલમાં જ 20 મેના રોજ બંગાળના બેરકપુરમાં બીજેપી ઉમેદવાર અર્જુન સિંહ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ બોલાચાલી પોલીસકર્મીઓની હાજરીમાં થઈ હતી. ત્યારથી વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો હતો. તેના ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. તસવીરોમાં જોવા મળ્યું હતું કે ઘણા મતદારો અર્જુન સિંહ સાથે દલીલ કરી રહ્યા હતા. વાસ્તવમાં, ભાજપના ઉમેદવારે આરોપ લગાવ્યો હતો કે ટીએમસીના પાર્થ ભૌમિકે પૈસા વહેંચ્યા હતા.

આ પણ વાંચો- Heatwave: સાત રાજ્યોમાં પાંચ દિવસ હીટવેવનું એલર્ટ, રાજસ્થાન દેશનું સૌથી ગરમ રાજ્ય

Whatsapp share
facebook twitter