દિલ્હી શહેર અને રાજ્યોમાં વધી રહેલા કોરોના કેસ બાદ DGCAએ મુસાફરો માટે ગાઈડલાઇન જાહેર કરી છે. જે માં કોવિડના વધતા કેસોને ધ્યાનમાં રાખીને મુસાફરોએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું અને વિમાનમાં માસ્ક પહેરવાનું ફરજિયા રહેશે.
ત્યારે દેશના ઘણા રાજ્યોમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજધાની દિલ્હીની હાલત સૌથી વધુ ખરાબ થતી જાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીમાં દરરોજ 2 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. જ્યારે સરેરાશ 8 થી 10 લોકોના મોત થઈ રહ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે મંગળવારે 1000થી ઓછા નવા કેસ નોંધાયા હતા. તેમ છતાં, આરોગ્ય વિભાગે લોકોને કોરોના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવા અને માસ્ક પહેરવા વિનંતી કરી છે. કેન્દ્ર સરકારે પણ કોરોનાના કેસને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
DGCAનવી ગાઈડલાઇન
રાજ્યોમાં કોરોનાના કેસ ધ્યાને લઈ DGCAએ મુસાફરો માટે નવી ગાઈડલાઈની જાહેરાત કરી છે. હવે મુસાફરોએ કોરોના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.
દિલ્હીમાં કોરોના કેસમાં સતત વધારો
દિલ્હીમાં ટેસ્ટ હેલ્થ બ્યૂરો દ્વારા સજા થયેલા દર્દીઓના આંકડા સામે આવ્યા છે. 1ઓગસ્ટથી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે હોસ્પિટલમાં 370 કોરોનાના
દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યા વધારો
દિલ્હી સ્ટેટ હેલ્થ બ્યૂરો દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ 1 ઓગસ્ટથી હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. હોસ્પિટલમાં 307 કોવિડ દર્દીઓમાંથી, આંકડો વધીને 588 થયો છે, જ્યારે 205 વેન્ટિલેટર પર છે અને 22 વેન્ટિલેટર પર છે. ત્યારે ICUમાં 1 લી થી 16 ઓગસ્ટ સુધીમાં 202 થયા છે.