Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વિશ્વકર્મા યોજનાને મળી મંજૂરી, 30 લાખ કારીગર પરિવારોને થશે ફાયદો

06:26 PM Aug 16, 2023 | Hiren Dave

PM મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠક બાદ કેન્દ્રીય કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપી છે. તેમજ આ સાથે સૌથી મોટો નિર્ણય એ છે કે ગતરોજ પીએમ મોદીએ વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીન કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.

 

વિશ્વકર્મા યોજના પણ મંજૂર
વિશ્વકર્મા સમ્માન યોજના જાહેરાતના 24 કલાકની અંદર તેની મંજૂરી મળી છે. આ સાથે જ આ મોદી સરકારનો સૌથી ફાસ્ટ નિર્ણય છે. તેમણે કહ્યું કે આ સાથે કારીગરોને 5 ટકાના દરે 1 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. વિશ્વકર્મા યોજનાથી 30 લાખ કારીગર પરિવારોને ફાયદો થશે. આ સિવાય કેબિનેટે 14,903 કરોડ રૂપિયાના ખર્ચ સાથે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમના વિસ્તરણને મંજૂરી આપી છે.

 

આ યોજના હેઠળ 1 લાખ સુધીની લોન મળશે
આ યોજનાનો લાભ નાના કારીગરોને થશે. તે સાથે જ ગ્રામીણ અર્થવ્યવસ્થા પર મોદી સરકારનું જોર જોવા મળશે. આ યોજના અંતર્ગત મોર્ડન ટૂલ ખરીદવા માટે 15 હજારની મદદ મળશે. આ અંગે અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે. માહિતી આપતા વૈષ્ણવ કહ્યું છે કે વિશ્વકર્મા યોજનામાં સ્કિલ પ્રોગ્રામ થશે. આ યોજના હેઠળ 1 લાખ સુધીની લોન મળશે.

 

પીએમ ઈ-બસ સેવા મંજૂર

અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આ યોજનામાં 3 લાખ અને તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોને આવરી લેવામાં આવશે. આ યોજના હેઠળ, પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ પર 10,000 ઈ-બસ સાથે સિટી બસની કામગીરી કરવામાં આવશે. આ યોજના 10 વર્ષ સુધી બસ સંચાલનને સમર્થન આપશે. તે જ સમયે, કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં કારીગરો માટે વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી. કેબિનેટે 13,000 કરોડ રૂપિયાની વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપી છે.

આ પણ  વાંચો-મોદી સરકારનો મોટો નિર્ણય, દેશના 100 શહેરોમાં દોડશે 10 હજાર ઇલેક્ટ્રિક બસ