+

યુકેએ યંગ પ્રોફેશનલ સ્કીમ હેઠળ ભારતીયો માટે 2400 વિઝાની જાહેરાત કરી

યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ હેઠળ, આ મહિનાના અંતમાં લાયક ભારતીયોને 2,400 વિઝા ઉપલબ્ધ કરાવવામાં આવશે. યુકે સરકારે મંગળવારે આની જાહેરાત કરી હતી. ગયા મહિને ઔપચારિક રીતે શરૂ કરાયેલી આ યોજના 18 થી 30 વર્ષની વય વચ્ચેના ભારતીય નાગરિકોને યુકેમાં બે વર્ષ સુધી રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે.ભારતમાં બ્રિટિશ હાઈ કમિશન દ્વારા શેર કરાયેલ અપડેટ મુજબ, 18 થી 30 વર્ષની વય વચ્ચેના ભારતીય નાગરિકà«
યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ હેઠળ, આ મહિનાના અંતમાં લાયક ભારતીયોને 2,400 વિઝા ઉપલબ્ધ કરાવવામાં આવશે. યુકે સરકારે મંગળવારે આની જાહેરાત કરી હતી. ગયા મહિને ઔપચારિક રીતે શરૂ કરાયેલી આ યોજના 18 થી 30 વર્ષની વય વચ્ચેના ભારતીય નાગરિકોને યુકેમાં બે વર્ષ સુધી રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે.ભારતમાં બ્રિટિશ હાઈ કમિશન દ્વારા શેર કરાયેલ અપડેટ મુજબ, 18 થી 30 વર્ષની વય વચ્ચેના ભારતીય નાગરિકો અન્ય યોગ્ય માપદંડોને પૂર્ણ કરવાને આધીન અરજી કરી શકે છે. નવી યોજના માટે વિગતવાર પાત્રતા માપદંડો બહાર પાડતા, નવી દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશને જણાવ્યું હતું કે 18-30 વર્ષની વય વચ્ચેના ભારતના તેજસ્વી યુવાનો માટે યુકેની શ્રેષ્ઠતાનો અનુભવ કરવાની આ એક ઉત્તમ તક છે.અરજદારો પાસે યોગ્ય શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ – સ્નાતકની ડિગ્રી અથવા તેથી વધુ – અને બચતમાં £2,530 (લગભગ રૂ. 2.6 લાખ) હોવી જોઈએ. તેના આશ્રિત બાળકોમાંથી કોઈ સગીર ન હોવું જોઈએ. આ માટે 28 ફેબ્રુઆરીથી લઈને 2 માર્ચ સુધી અરજી કરી શકાશે. પસંદ કરેલા ઉમેદવારોએ પછીથી તેમના વિઝા માટે આમંત્રણમાં આપેલી સમયમર્યાદા સુધીમાં અરજી કરવી પડશે, જે સામાન્ય રીતે 30 દિવસની અંદર હોય છે. સફળ ઉમેદવારે તેમના વિઝા માટે અરજી કર્યાના છ મહિનાની અંદર યુકેની મુસાફરી કરવી આવશ્યક છે.વિઝા અરજી ફી ચૂકવવાની રહેશેવિઝા માટેની અરજી ફી GBP 259 (આશરે રૂ. 26,000) નક્કી કરવામાં આવી છે, જેમાં આરોગ્ય સંભાળ સરચાર્જ તરીકે 940 GBP (આશરે રૂ. 94,000)નો વધારાનો ખર્ચ સામેલ છે. તેઓએ એ પણ સાબિત કરવું પડશે કે તેમની પાસે વ્યક્તિગત બચતમાં £2,530 (લગભગ રૂ. 2.6 લાખ)  છે.આ વિઝા મેળવવા ઇચ્છુકોએ 259 પાઉન્ડ (અંદાજે રૂ. 26,000)ની અરજી ફી અને 940 પાઉન્ડ (અંદાજે રૂ. 94,000)નો હેલ્થ સરચાર્જ ચૂકવવો પડશે. તેણે એ પણ સાબિત કરવું પડશે કે તેની પાસે વ્યક્તિગત બચતમાં £2,530 (આશરે રૂ. 2.6 લાખ) છે. પાત્રતા માપદંડ જણાવે છે કે યુકેમાં 24 મહિના સુધીના રોકાણ અને કામ માટે વિઝા આપવામાં આવશે. વિઝાની માન્યતા દરમિયાન કોઈપણ સમયે યુકેમાં પ્રવેશ, બહાર નીકળી અને પરત ફરી શકાય છે. આ વખતે વિઝા મેળવવામાં નિષ્ફળ જવાથી પાત્ર લોકોને વધુ તક આપવામાં આવશે. જુલાઈમાં ફરી આ તક મળવાની આશા છે.ભારત બ્રિટિશ નાગરિકોને સમાન વિઝા આપશેગયા વર્ષે નવેમ્બરમાં ઇન્ડોનેશિયામાં G20 સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના યુકે સમકક્ષ ઋષિ સુનક વચ્ચે હસ્તાક્ષર કરાયેલ પારસ્પરિક વ્યવસ્થા હેઠળ બ્રિટિશ નાગરિકોને પણ ભારતમાં રહેવા અને કામ કરવા માટે સમાન વિઝા ઓફર કરવામાં આવશે.
Whatsapp share
facebook twitter