Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી-2024 માં (Lok Sabha Elections-2024) ભારતીય જનતા પાર્ટી (BJP) ને માત આપવા માટે વિપક્ષી પાર્ટીઓએ ભેગા મળી I.N.D.I. ગઠબંધનની શરૂઆત કરી. જો કે, હવે બિહારમાં (Bihar) આ I.N.D.I. ગઠબંધનમાં તિરાડના સમાચાર આવવા છે. ભાજપના રાજ્યસભા સાંસદ સુશીલ મોદીએ તો ત્યાં સુધી કહ્યું કે લાલુ યાદવે નીતિશ કુમારથી પોતાને દૂર કરી લીધા છે. જ્યારે, બીજી તરફ લાલૂ પ્રસાદ યાદવે કહ્યું કે નીતિશ કુમાર સાથે બધુ સારું છે. જો કે, તેમના ચહેરા પર થોડી નારાજગી જોવા મળી હતી. બિહારના (Bihar) પૂર્વ સીએમ જીતનરામ માંઝીએ I.N.D.I. ગઠબંધનને ઘમંડિયા ગઠબંધન કહ્યું છે.