Delhi CM અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુરુવારે સવારે AAP નેતા આતિશીએ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ કરી હતી. પોસ્ટ અનુસાર, દિલ્હી સરકારના મંત્રી આતિશીએ બુધવારે રાત્રે લખ્યું કે, તેમને સમાચાર મળ્યા કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ગુરુવારે સવારે અરવિંદ કેજરીવાલના ઘર પર દરોડા પાડવા જઈ રહ્યું છે અને તેમની ધરપકડ પણ થઈ શકે છે. તે જ સમયે, સીએમ કેજરીવાલના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.