વિદેશ મંત્રી એસ જયશંકરે (S. Jaishankar) શુક્રવારે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના (PMBJP) જેવી જાહેર યોજનાઓ અમલમાં મૂકવા ભાગીદાર દેશોને મદદ કરવાની ઓફર કરી હતી. આ યોજનામાં, સામાન્ય લોકોને ઓછી કિંમતે દવાઓની પહોંચ અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે છે. તેઓ દિલ્હીમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના પર સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા તે દરમિયાન તેમને આ જાહેરાત કરી હતી.
PMBJP એ એક મુખ્ય લોક કલ્યાણ કાર્યક્રમ
આ કોન્ફરન્સનું આયોજન વિદેશ મંત્રાલય, ફાર્માસ્યુટિકલ્સ વિભાગ, રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. તેમાં ભારતના 100 ભાગીદાર દેશોના મિશનના વડાઓએ ભાગ લીધો હતો. PMBJP એ એક મુખ્ય લોક કલ્યાણ કાર્યક્રમ છે જે છેલ્લા આઠ વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમર્થિત છે. તેમણે કહ્યું કે, કોન્ફરન્સનો ઉદ્દેશ્ય ગ્રહને સમાન, સમાવિષ્ટ અને સુરક્ષિત બનાવવાના ધ્યેય તરફ સાથે મળીને કામ કરવા માટે હિતધારકોને પ્રેરણા આપવાનો છે. આ પીએમ મોદીનું વિઝન છે.
વિદેશ મંત્રીએ એસ્ટોનિયાના લોકોને તેમના રાષ્ટ્રીય દિવસ પર અભિનંદન પાઠવ્યા
વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે એસ્ટોનિયાના વિદેશ મંત્રી ઉર્માસ રિન્સાલુ અને દેશના લોકોને એસ્ટોનિયાના રાષ્ટ્રીય દિવસ પર શુભેચ્છા પાઠવી હતી. જયશંકરે ટ્વિટ કર્યું, “વિદેશ પ્રધાન ઉર્માસ રિન્સાલુ, એસ્ટોનિયાની સરકાર અને લોકોને તેમના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે હાર્દિક અભિનંદન.” અગાઉ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જયશંકર ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77માં સત્ર દરમિયાન રિન્સાલુને મળ્યા હતા. દરમિયાન, જયશંકર અને રિન્સાલુએ એસ્ટોનિયામાં ભારતની દૂતાવાસ ખોલ્યા બાદ દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવાની ચર્ચા કરી હતી.
આ પણ વાંચો––પાકિસ્તાનમાં આપેલા નિવેદન પર જાવેદ અખ્તરે તોડ્યું મૌન, કહ્યું- મેં એવું તો કયું તીર માર્યું?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ