![](https://www.gujaratfirst.com/imgs/news/20288.jpg?v=1676713587)
- મહાશિવરાત્રીએ શિવ ભક્તો માટે શુભ સમાચાર
- 25 એપ્રિલે ખુલશે ભગવાન કેદારનાથના દ્વાર
- સવારે 6.20 કલાકે મેષ રાશિમાં ખુલશે દ્વાર
- ઉખીમઠમાં મળી પંચ કેદારની ખાસ બેઠક
- બેઠકમાં દ્વાર ખોલવાની તારીખ નક્કી કરાઇ
વર્ષો જૂની પરંપરા અનુસાર, મહાશિવરાત્રિ (Mahashivratri)ના શુભ મુહૂર્તમાં પંચ કેદારની ખાસ બેઠક મળી હતી. ઉખીમઠના શ્રી ઓમકારેશ્વર મંદિરમાં મળેલી પંચ કેદારની બેઠકમાં આજે કેદારનાથ (Kedarnath)ના દ્વાર ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી હતી.
ભગવાન કેદારનાથના દ્વાર 25 એપ્રિલે સવારે 6.20 કલાકે મેષ રાશિમાં ખુલશે
ભગવાન કેદારનાથના દ્વાર 25 એપ્રિલે સવારે 6.20 કલાકે મેષ રાશિમાં ખુલશે. શ્રી કેદારનાથ ધામના દરવાજા ખોલવા માટે બાબા કેદારનાથની ઉત્સવ મૂર્તિ એટલે કે ભોગ વિગ્રહની ડોળી 21મી એપ્રિલે ઉખીમઠથી નીકળી હતી અને 22મી એપ્રિલે સવારે 6:20 કલાકે ગૌરીકુંડ કેદારનાથ પહોંચી હતી.
પંચ કેદારની મળી ખાસ બેઠક
પંચકેદાર મંદિરોના દ્વાર ખોલવાનો શુભ સમય નક્કી કરવાના આ શુભ અવસર પર મઠ સંકુલમાં આવેલ શ્રી ઓમકારેશ્વર મંદિરઅવિમુક્તેશ્વરાનંદના શિષ્ય જ્યોતિષપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી, મુકુંદાનંદ બ્રહ્મચારી, કેદારનાથના રાવલ ભીમાશંકર લિંગ, મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજય અને મંદિર સમિતિના ઘણા સભ્યો શ્રી ઓમકારેશ્વર મંદિર મઠ પરિસરમાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.