+

ગુજરાત સાયન્સ સિટીમાં ટ્રી વોક ટ્રી ટોક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ

ગુજરાત સાયન્સ સિટીના સહયોગથી નેચર કલબ દ્વારા ટ્રી વોક ટ્રી ટોક કાર્યક્રમનુ આયોજન સાયન્સ સિટીના નેચર પાર્કમાં કરવામાં આવ્યુ, જેમાં મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓએ હાજરી આપી.આ કાર્યક્રમનો ઉદ્દેશ ગુજરાતના દરેક પ્રકૃતિ પ્રેમીઓને એક સાથે લાવવાનો છે જેથી દરેક પ્રકૃતિ પ્રેમી પોતાના વિચારોનુ આદાન-પ્રદાન કરી શકે. આ કાર્યક્રમમાં નેચર પાર્કમાં અલગ અલગ વૃક્ષોની ખાસિ
ગુજરાત સાયન્સ સિટીના સહયોગથી નેચર કલબ દ્વારા ટ્રી વોક ટ્રી ટોક કાર્યક્રમનુ આયોજન સાયન્સ સિટીના નેચર પાર્કમાં કરવામાં આવ્યુ, જેમાં મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓએ હાજરી આપી.આ કાર્યક્રમનો ઉદ્દેશ ગુજરાતના દરેક પ્રકૃતિ પ્રેમીઓને એક સાથે લાવવાનો છે જેથી દરેક પ્રકૃતિ પ્રેમી પોતાના વિચારોનુ આદાન-પ્રદાન કરી શકે. આ કાર્યક્રમમાં નેચર પાર્કમાં અલગ અલગ વૃક્ષોની ખાસિયત વિશેની સચોટ માહિતી આપવામાં આવી તેમજ દેશ-વિદેશના વૃક્ષોના તફાવત વિશે ચર્ચા કરવામાં આવી. ટ્રી વોકનુ મહત્વ દરેક લોકોને હોવુ જોઈએ, જેથી નેચર ક્લબના પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનુ કામ કરવામાં આવી રહ્યુ છે. સાથે સાથે વૃક્ષો અને વનસ્પતિની જાળવણી પણ ખુબ જ જરૂરી છે. જેથી ખેડુતોએ વાવેતરનો વૈજ્ઞાનિક અભિગમ કેળવવો જોઈએ.
સાયન્સ સિટીના નેચર પાર્કમાં   કાર્યક્રમ યોજાયો 
હાલના સમયમાં જીવન શૈલી અને ભણતરના કારણે લોકો પ્રકૃતિથી દૂર થઈ ગયા છે. આજે સાયન્સ સિટીના નેચર પાર્કમાં જે  કાર્યક્રમ કરવામાં આવ્યો તે એક ખુબ સારી શરૂઆત છે. જેથી લોકો પ્રકૃતિની સાથે જોડાશે તેમજ પ્રકૃતિને સમજશે અને પ્રકૃતિની કેવી રીતે સંભાળ રાખી શકાય તે વિશે ચર્ચા કરવામાં આવી.સાયન્સ સિટી ગુજરાતના અલગ અલગ જગ્યાએથી પ્રકૃતિ પ્રેમીઓને એક મંચ પર એકઠા કરવાનો સતત પ્રયાસ કરે છે અને લોકોને પ્રકૃતિ વિશે જાગૃત કરે છે.

ભારત અને વિદેશના અલગ અલગ ક્ષેત્રોના લોકો જાડાશે
અગાઉ ગુજકોસ્ટ દ્વારા 8 માં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ અંતર્ગત કર્ટેન રેઝરસેશનનુ આયોજન ગુજરાત સાયન્સ સિટીમાં કરવામાં આવ્યુ હતું. જે આ વર્ષની થીમ વિજ્ઞાન, ટેક્નોલોજી અને નવિનતા સાથે અમૃતકાલ તરફ કુચ છે.IIFSની 8મી આવૃત્તિ 21-24 જાન્યુઆરી, 2023 દરમિયાન મધ્ય પ્રદેશના ભોપાલની મૌલાના આઝાદ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (MANIT) સંસ્થા ખાતે યોજાવા જઈ રહી છે. વિજ્ઞાન મહાકુંભ નામના આ ફેસ્ટિવલમાં ભારત અને વિદેશના અલગ અલગ ક્ષેત્રોના લોકો જાડાશે.
ભારતે અમૃતકાલમાં પ્રવેશ કર્યો છે
IIFSનો પ્રાથમિક હેતુ બધા દ્વારા વિજ્ઞાનની ઉજવણી કરવાનો છે. તેના સર્જનાત્મક કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા IISF-2022વૈજ્ઞાનિક સમુદાયો અને સામાન્ય જનતાને એકસાથે આવવા અને ભારત અને માનવતાની સુખાકારી માટે વિજ્ઞાનના ઉપયોગ થકી આનંદ અનુભવવાની તક પુરી પાડે છે. ભારતે અમૃતકાલમાં પ્રવેશ કર્યો છે જે દરમિયાન દરેક માટે વિજ્ઞાનને વધુ સુલભ બનાવવુ જરૂરી છે જેથી કરીને તેઓ જનભાગીદારીની સાચી ભાવના સાથે રાષ્ટ્રના વિકાસમાં ભાગ લઈ શકે. આ વર્ષની IISF માટેની થીમ વિજ્ઞાન ટેક્નોલોજી અને નવીનતાઓનો ઉપયોગ કરીને સામાજીક મુદ્દાઓને ઉકેલવાની ભાવનાને પ્રજ્વલિત કરશે.
ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ-2022નો વ્યાપક પ્રસાર કરવા અને તેમાં આયોજિત થનારા વિવિધ કાર્યક્રમોમાં રાજ્યના વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો, સંશોધકો, ટેક્નોલોજિસ્ટ, નીતિ નિર્માતાઓ, કારીગરો, સ્ટાર્ટઅપ્સ અને ખેડુતો સહિતના લોકો જોડાય અને વિજ્ઞાન અને કૌશલ્ય દ્વારા રાજ્યના અને દેશના નિર્માણ માટે પોતાની ભાગીદારી નોંધાવે તે માટે ગુજકોસ્ટ દ્વારા ભારત સરકારના વિજ્ઞાન પ્રસારના સહયોગથી અમદાવાદ ગુજરાત સાયન્સ સિટી ખાતે આ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક કાર્યક્રમના કર્ટેન રેઝર સેશનનુ આયોજન કરવામાં આવ્યુ. આ સત્રમાં વિજ્ઞાન પ્રસાર અને ગુજકોસ્ટના વૈજ્ઞાનિકો દ્વારા મહત્વપુર્ણ માહિતી આપવામાં આવી તેમજ વિજ્ઞાન પ્રસારના ડાયરેક્ટર ડો.નકુલ પરાશરે વર્ચ્યુઅલી રીતે માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter