+

ચૂંટણી પંચના નિર્ણયના વિરોધમાં ઉદ્ધવ જૂથ પહોંચ્યું સુપ્રીમ કોર્ટમાં

શિવસેના (Shiv Sena)ના નામ અને ચૂંટણી ચિન્હ શિંદે જૂથ (Shinde Group)ને આપવાના વિરોધમાં સોમવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં ઉદ્ધવ ઠાકરે જૂથ (Uddhav Group) દ્વારા અરજી કરવામાં આવી છે.  ઉદ્ધવ જૂથના વકીલે ચૂંટણી પંચના નિર્ણયને પડકાર્યો હતો અને આ મામલે સુનાવણીની માંગ કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે વકીલને આવતીકાલે આ મામલે ઉલ્લેખ કરવા કહ્યું છે.શિંદે જૂથ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ચૂક્યું છેનોંધપાત્ર વાત એ છે કે શિવà
શિવસેના (Shiv Sena)ના નામ અને ચૂંટણી ચિન્હ શિંદે જૂથ (Shinde Group)ને આપવાના વિરોધમાં સોમવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં ઉદ્ધવ ઠાકરે જૂથ (Uddhav Group) દ્વારા અરજી કરવામાં આવી છે.  ઉદ્ધવ જૂથના વકીલે ચૂંટણી પંચના નિર્ણયને પડકાર્યો હતો અને આ મામલે સુનાવણીની માંગ કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે વકીલને આવતીકાલે આ મામલે ઉલ્લેખ કરવા કહ્યું છે.
શિંદે જૂથ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ચૂક્યું છે
નોંધપાત્ર વાત એ છે કે શિવસેનાની કમાન, તેનું નામ અને ચૂંટણી ચિન્હ ઉદ્ધવ ઠાકરે પાસેથી છીનવી લીધા બાદ એકનાથ શિંદે પણ ચૂપ બેસી રહ્યા નથી. શિવસેનાને લઈને ચૂંટણી પંચના નિર્ણયને સમર્થન આપવા માટે તે દરેક પગલા લઈ રહ્યા છે, જે તેમના માટે જરૂરી છે. એક દિવસ પહેલા, શિંદે જૂથ વતી સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ અરજી દાખલ કરવામાં આવી હતી.

મહારાષ્ટ્ર સરકારની દલીલ પણ સાંભળવી જોઈએ
આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઉદ્ધવ જૂથ ચૂંટણી પંચના નિર્ણયને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. આવી સ્થિતિમાં આ મામલે કોઈ પણ ચુકાદો આપતા પહેલા સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની દલીલ પણ સાંભળવી જોઈએ. 

ઉદ્ધવ ઠાકરે કેમ્પે શિવસેના ટ્વિટર હેન્ડલ અને શિવસેનાની વેબસાઈટ બંનેને ડિલીટ કર્યા
નામ અને પ્રતીક હટાવ્યા બાદ ઉદ્ધવ ઠાકરે કેમ્પે શિવસેના ટ્વિટર હેન્ડલ અને શિવસેનાની વેબસાઈટ બંનેને ડિલીટ કરી દીધા છે. ટ્વિટર હેન્ડલ અને વેબસાઈટ બંને શિવસેનાના નામે હતા, જેનું સંચાલન ઉદ્ધવ ઠાકરે કેમ્પ દ્વારા કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચના નિર્ણય બાદ ઉદ્ધવ કેમ્પે આ પગલું ભર્યું છે.
તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે શુક્રવારે શિવસેના પાર્ટીના નામ અને ચિહ્ન પર એકનાથ શિંદેના દાવાને મંજૂરી આપી દીધી છે. તે પછી જ તે પ્રકાશમાં આવ્યું હતું કે ઠાકરે કેમ્પે શિવસેનાના ટ્વિટર હેન્ડલ અને તેની વેબસાઇટ બંનેને કાઢી નાખ્યા હતા.
શિંદે જૂથને શિવસેનાના નામ અને ધનુષ અને તીરના પ્રતીકનો ઉપયોગ કરવાની મંજૂરી મળી
વાસ્તવમાં ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને જ અસલી શિવસેના માની છે. ચૂંટણી પંચે શુક્રવારે સાંજે શિંદે જૂથને શિવસેનાના નામ અને ધનુષ અને તીરના પ્રતીકનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.
જો કે, ચૂંટણી પંચે શિવસેનાના નામ અને ચિહ્ન ધનુષ-બાન પર એકનાથ શિંદેના દાવાને મંજૂરી આપ્યા પછી, એવા પણ અહેવાલ હતા કે ઉદ્ધવ ઠાકરે આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જશે. તે જ સમયે, શિંદે જૂથ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરવામાં આવી હોવાના અહેવાલો છે. મતલબ કે જો ચૂંટણી પંચના નિર્ણયને પડકારવામાં આવશે તો શિંદે પક્ષને સાંભળ્યા વિના કોર્ટ કોઈ નિર્ણય નહીં આપે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter