+

પોપ્યુલર વેબસિરિઝ મિર્ઝાપુરની ત્રીજી સિઝનનું શુટિંગ પૂર્ણ, ક્યારે થશે રિલિઝ? જાણો

અલી ફઝલે સોશિયલ મીડિયામાં આપી જાણકારીત્રીજી સિઝન 2023ના મધ્યમાં આવશેપહેલી સિઝન વર્ષ 2018માં આવી હતીMirzapur 3 : એમેઝોન પ્રાઈમની પોપ્યુલર વેબ સિરિઝ મિર્ઝાપુર 3 (Mirzapur 3)ના ચાહકો માટે ખુશખબરી છે. મિર્ઝાપુરની ત્રીજી સિઝનનું શુટિંગ પૂર્ણ થઈ ચુક્યું છે. મિર્ઝાપુર સિરિઝમાં ગુડ્ડુ પંડિતનું પાત્ર નિભાવતા અલી ફઝલે (Ali Fazal) સોશિયલ મીડિયામાં આ અંગેની જાણકારી આપી છે અને સાથે જ તેણે પોતાની સમગ્ર ટીમનો અભાર à
  • અલી ફઝલે સોશિયલ મીડિયામાં આપી જાણકારી
  • ત્રીજી સિઝન 2023ના મધ્યમાં આવશે
  • પહેલી સિઝન વર્ષ 2018માં આવી હતી
Mirzapur 3 : એમેઝોન પ્રાઈમની પોપ્યુલર વેબ સિરિઝ મિર્ઝાપુર 3 (Mirzapur 3)ના ચાહકો માટે ખુશખબરી છે. મિર્ઝાપુરની ત્રીજી સિઝનનું શુટિંગ પૂર્ણ થઈ ચુક્યું છે. મિર્ઝાપુર સિરિઝમાં ગુડ્ડુ પંડિતનું પાત્ર નિભાવતા અલી ફઝલે (Ali Fazal) સોશિયલ મીડિયામાં આ અંગેની જાણકારી આપી છે અને સાથે જ તેણે પોતાની સમગ્ર ટીમનો અભાર માન્યો છે.
ગુડ્ડુ પંડિતે આપી જાણકારી
ભારતની સૌથી ફેમસ વેબસિરિઝમાં ટોપ લીસ્ટમાં આવતી મિર્ઝાપુર સિરિઝની છેલ્લી બે સિઝનની અપાર સફળતા બાદ હવે મેકર્સે ત્રીજી સિઝન માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અલી ફઝલે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વિડીયો શેર કર્યો. આ વિડીયોમાં તેણે સાથે પોતાની ટીમ માટે એક મેસેજ પણ લખ્યો જેમાં તેણે પોતાના અનુભવો વિશેની વાત શેર કરી સૌનો આભાર માન્યો.
આવતા વર્ષે થશે રિલિઝ
મિર્ઝાપુરની (Mirzapur 3) શુટિંગ પૂર્ણ થયાં બાદ હવે સૌ કોઈને તેના રિલિઝ થવાની રાહ છે. આ વેબ સિરિઝ આગામી વર્ષ 2023માં રિલિઝ થશે જોકે તેની તારીખ હજુ નક્કી નથી પણ એક વાત ચોક્કસ છે કે ત્રીજી સિઝનની સૌને રાહ છે.
બંને સિઝન રહી છે હીટ
મિર્ઝાપુર સિરિઝની પહેલી સિઝન વર્ષ 2018માં આવી હતી જે ખુબ હીટ નિવડી હતી. આ શોનું નિર્માણ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની કંપની એક્સેલ ફિલ્મ્સ કરે છે. પહેલી સિઝન અંશુમાન, ગુરમીત સિંહ અને મિહિર દેસાઈએ ડિરેક્ટ કરી હતી. બીજી સિઝન વર્ષ 2020માં આવી હતી હવે  ત્રીજી સિઝન 2023ના મધ્યમાં આવશે.
ત્રીજી સિઝન હશે રસપ્રદ
જણાવી દઈએ કે મિર્ઝાપુર (Mirzapur) ઉત્તરપ્રદેશના કાલ્પનિક શહેરમાં સ્થાપિત છે જ્યાં ઉખંડાનંદ ત્રિપાઠી એટલે કે કાલિન ભૈયાનો દબદબો હોય છે. ગેરકાદેસર હથિયારોના કારોબાર કરતા કાલિન ભૈયાને ગુડ્ડુ પંડિત પડકાર આપે છે જે તેના પુત્ર મુન્ના ત્રિપાઠીની રંજાડના કારણે તેનો દુશ્મન બન્યો હતો. બીજી સિઝિનમાં ગુડ્ડુ ભૈયાએ કાલિન ભૈયા અને મુન્નાનો બદલો લીધો હતો જોકે શોના ક્લાઈમેક્સમાં કાલીન ભૈયા બચી જાય તેવું દર્શાવાયુ છે હવે ત્રીજી સિઝન ગુડ્ડુના મિર્ઝાપુરની ગાદી પર બેસવા અને કાલિન ભૈયા પરત ફરે તેના આધાર પર છે ત્યારે આ ત્રીજી સિઝન પણ ખુબ રસપ્રદ રહેશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter