Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

લોકો પર બ્રહ્માસ્ત્ર ફિલ્મનો જાદુ, થિયેટરોમાં રાત્રે 2.30 વાગ્યે પણ ચાલશે ફિલ્મના શો

10:01 AM Apr 17, 2023 | Vipul Pandya

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ને લઈને લોકોમાં ભારે ક્રેઝ છે. આ ફિલ્મ ઘણા સમયથી ધૂમ મચાવી રહી હતી. એડવાન્સ બુકિંગને લઈને લોકોમાં જબરદસ્ત ઉત્સાહ હતો અને હવે જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે ત્યારે તેની ભારે ડિમાન્ડને જોતા કેટલાક થિયેટરોએ ખાસ શો યોજવાના છે. લોકો આ ફિલ્મ જોવા માટે દિવસ રાત જોયા વગર શો બુક કરાવે  છે . 
હાલ જ આલિયા ભટ્ટે એક સ્ટોરી શેર કરી હતી જેમાં બ્રહ્માસ્ત્રનું પોસ્ટર શેર કરતા આલિયાએ જણાવ્યું હતું કે, લોકોની માંગ પર PVRમાં બે સ્પેશ્યલ શો રાખવામાં આવ્યા છે. પહેલો રાત્રે 2.30 વાગ્યે અને બીજો સવારે 5.45 વાગ્યે. આલિયાએ તેને ફિલ્મોનો જાદુ ગણાવ્યો હતો.


‘બ્રહ્માસ્ત્ર’ને લઈને લોકોમાં જે ક્રેઝ છે તે આલિયાની વાત સાચી લાગે છે. આ ‘બ્રહ્માસ્ત્ર’નો જાદુ છે, જેણે લાંબા સમય પછી બોક્સ ઓફિસ પર સમાપ્ત કર્યું છે. ફિલ્મે પહેલા દિવસે બમ્પર કમાણી કરતા 35-36 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. તે જ સમયે, તેણે વિદેશમાં 75 કરોડ રૂપિયાની કમાણી સાથે ઓપનિંગ કરીને બધાને ચોંકાવી દીધા છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય પણ મહત્વની ભૂમિકામાં છે. અયાન મુખર્જીએ તેનું દિગ્દર્શન કર્યું છે અને તે ફિલ્મના લેખક પણ છે. તે વર્ષોથી આના પર કામ કરી રહ્યો હતો અને જે પરિણામો આવી રહ્યા છે, તેનાથી લાગે છે કે તેની મહેનત રંગ લાવી રહી છે.