+

રાજ્યના પાંચ જિલ્લામાં સૌથી વધુ કેસ, કોરોનાએ આટલા દર્દીઓનો લીધો ભોગ

રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. આજે રાજ્યમાં કોરોનાના કેસ 200 થી વધુ આવી રહ્યા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 290 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 635 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે બે દર્દીના મોત થયા છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.84 ટકા થઈ ગયો છે.રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો à

રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. આજે રાજ્યમાં કોરોનાના કેસ 200 થી વધુ આવી રહ્યા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 290 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 635 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે બે દર્દીના મોત થયા છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.84 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 3,719 એક્ટિવ કેસ છે. જેમાંથી 19 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 3,700 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,51,031 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. અમદાવાદમાં કોરોનાના કારણે બે દર્દીઓના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,993 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 105 કેસ સામે આવ્યા છે. વડોદરા કોર્પોરેશનમાં 39, કચ્છમાં 17, સુરત કોર્પોરેશનમાં 17, ગાંધીનગરમાં 13, સુરતમાં 12, ભાવનગર કોર્પોરેશનમાં 8, ગાંધીનગર કોર્પોરેશનમાં 8, અરવલ્લીમાં 7, રાજકોટમાં 7, મહેસાણામાં 6, નવસારીમાં 6, સાબરકાંઠામાં 6, વલસાડમાં 6, આણંદમાં 5, મોરબીમાં 5, રાજકોટ કોર્પોરેશનમાં 5, બનાસકાંઠામાં 4, પંચમહાલમાં 4, ગીર સોમનાથમાં 3, વડોદરામાં 3, અમરેલીમાં 1, ભાવનગરમાં 1, જામનગરમાં 1 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો છે.



જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે  58,975 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 251 ને રસીનો પ્રથમ અને 732 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 4 ને રસીનો પ્રથમ અને 78 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 5,165 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 167 ને રસીનો પ્રથમ અને 608 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 51,970 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 12,00,10,105 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

Whatsapp share
facebook twitter