Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આતંકીઓએ બે પ્રવાસી શ્રમિકો પર કર્યો હુમલો, સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન કર્યું શરૂ

08:55 PM Apr 27, 2023 | Vipul Pandya

  • આતંકીઓએ બે પ્રવાસી શ્રમિકોને મારી ગોળી
  • આતંકી હુમલામાં બંને શ્રમિકો ઘાયલ, સારવાર હેઠળ
  • સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છે
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીએએ ફરી એકવાર બિન-કાશ્મીરીઓને નિશાન બનાવ્યા છે. અનંતનાગના રાખ-મોમિન વિસ્તારમાં આતંકવાદીઓએ 2 બહારના મજુરોને ગોળી મારી દીધી છે. બંન્ને મજુરોને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. બનાવ બન્યા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
જમ્મુ કાશ્મીર પોલીસે ટ્વીટ કરી જણાવ્યું કે, બંન્ને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જ્યાંથી તેમને બિજબેહરા રિફર કરી દેવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઈજાગ્રસ્તની ઓળખ છોટાપ્રસાદ અને ગોવિંદ નિવાસી તરીકે થઈ છે. બંને ઉત્તરપ્રદેશના ગોરખપુરના રહેવાસી છે.