Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુરતનું શ્રી અંબિકા નિકેતન મંદિર ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર

12:37 PM May 22, 2023 | Vipul Pandya
સુરતનું શ્રી અંબિકા નિકેતન મંદિર દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે.  વર્ષ 1969માં મંદિરનું નવનિર્માણ કરાયું હતું. હજારો વર્ષોથી માતાજીનું મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ઠેર ઠેરથી માઇ ભક્તો અહીં માતાજીના દર્શન કરવા આવે છે. આ મંદિરમાં માતાજી સિંહાસન પર બિરાજમાન છે. મંદિરમાં સ્થાપિત અષ્ટભુજાવાળી મુર્તિને જોઇને લાગે કે જાણે માતાજી સાક્ષાત ભક્તોને દર્શન આપે છે. ભક્તો પર માતાજીની કૃપા બનેલી છે. મંદિરમાં નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીનું ખાસ આયોજન કરાય છે. તે સિવાય અન્ય તહેવારો પણ ધામધુપૂર્વક ઉજવાય છે.