બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજે સુરતમાં દિવ્ય દરબાર છે, ત્યારે તેમના માટે લક્ઝુરિયસ લેવલની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગઈકાલે સુરત એરપોર્ટ ઉપર આવ્યા બાદ તેઓ સીધા ગોપી ફાર્મ ખાતે રાત્રિ રોકાણ માટે પહોંચી ગયા હતા.
સુરતનું સૌથી લક્ઝુરીયસ ફાર્મહાઉસ પૈકીનું એક છે ગોપીન ફાર્મ હાઉસ.
તમામ પ્રકારની વ્યવસ્થા આ ફાર્મની અંદર કરવામાં આવી છે.
એક હોટલને પણ ઝાંખી પાડે એ પ્રકારનું આ ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું છે.
ફાર્મહાઉસમાં બેઠક વ્યવસ્થાથી લઈને સ્વિમિંગ પૂલ સુધીની તમામ વ્યવસ્થાઓ ખૂબ જ આકર્ષક છે.
ગોપીન ફાર્મહાઉસના સુરતના દિગ્ગજ ઉદ્યોગપતિ લવજી બાદશાહનું છે.
લવજી બાદશાહ સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ અને બિલ્ડર છે.
કોઈ વ્યક્તિ તેમની નજીક ન જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.
400 પોલીસકર્મીઓ બાબાની સુરક્ષા માટે ખડેપગે તૈનાત રહેશે
26.27 મે ના રોજ લિંબાયત નીલગીરી મેદાનમાં ભવ્ય દિવ્ય દરબાર યોજનાર છે.
આપણ વાંચો –