Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat Occultist Crime: 21 મી સદીમાં પણ મહિલાઓ અંધશ્રદ્ધામાં ફસાઈ શારીરિક શોષણનો ભોગ બની રહી

04:29 PM Apr 10, 2024 | Aviraj Bagda

Surat Occultist Crime: 21 મી સદીમાં પણ લોકો અંધશ્રદ્ધાના માયાજાળમાં ફસાઈ રહ્યા છે. આવા સંજોગોમાં લોકો આર્થિક અને શારીરિક તરીકે ભારે નુકસાનનો સામનો કરતા જોવા મળતા હોય છે. આવર-નવાર દેશ અને રાજ્યોમાંથી તાંત્રિક વિદ્યાના નામે છેતરપિંડીના કિસ્સાઓ સામે આવતો હોય છે, તેમ છતાં લોકો અંધશ્રદ્ધાના જાળમાં ફસાઈ પોતાનું નુકસાન કરતા જોવા મળતા હોય છે.

  • માહિલા સાથે તાંત્રિકે શારીરિક અને આર્થિક શોષણ કર્યું
  • મહિલા પાસેથી કુલ 14 લાખ પડાવ્યા
  • મહિલાઓ છેતરપિંડી અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

મળતી માહિતી મુજબ, રાજ્યના સુરત શહેરમાંથી એક મહિલા સાથે તાંત્રિક વિદ્યાના નામે ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારામાં આવેલી સોસાયટીમાં રહેતી મહિલા દિનચર્યા દરમિયના ઘરની નજીક આવેલા માતાજીના મંદિરમાં દર્શન કરવા જતી હતી. ત્યારે એકવાર મંદિરમાં હાજર તાંત્રિક સાથે મહિલાનો પરિચય નોંધાયો હતો. ત્યારે મહિલાએ તેના ઘરની મુશ્કેલીઓ તાંત્રિક બાવાને જણાવી હતી.

Surat Occultist Crime

મહિલા પાસેથી કુલ 14 લાખ પડાવ્યા

ત્યારે તાંત્રિકે મહિલાને જણાવ્યું હતું કે, મહિલાના વતનમાં આવેલા જુના મકાનમાં કાળી છાયા છે. તેના કારણે તેના ઘરની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. જો આ સમસ્યાનું નિરાકરણ અમુક તાંત્રિક વિદ્યા કરવાથી થશે, તેમ કહીને મહિલા પાસેથી જુદી-જુદી વિદ્યાના નામે કુલ 14 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ તમામ કોકડ રૂપિયા તાંત્રિકએ મહિલા પાસેથી 2 મહિનાની અંદર પડાવ્યા હતા.

મહિલા સાથે તાંત્રિકે દુષ્કર્મ ઉચાર્યું

તે ઉપરાંત બે મહિના બાદ લાખો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ ઘરની સ્થિતિમાં સુધારો નહીં નોંધાતા. તાંત્રિકે મહિલાને એકવાર તેના મઠ બોલાવી હતી. ત્યાં તેણી પર લીંબુ અને મરચાં ફેરવીને ધ્યાન ધરવાનું કહ્યું હતું. તે દરમિયાન તાંત્રિકે મહિલાને કપડા ઉતારવાનું કહ્યું હતું. પરંતુ મહિલાએ કપડા ઉતારવાની ના પાડીને આંખો ખોલી નાખી હતી. ત્યારે તાંત્રિકે રોષે ભરાઈની મહિલા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

મહિલાઓ છેતરપિંડી અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

ત્યારબાદ મહિલાને તાંત્રિકે એક કળશ આપ્યું હતું, અને કહ્યું હતું કે, થોડા દિવસો પછી આ કળશ પર બાંધેલું કપડું હડાવી નાખજે. ત્યારબાદ તેમાંથી હીરા અને મોતી નીકળશે. તેઓ મહિલાને વિશ્વાસ આપ્યો હતો. પરંતુ થોડા દિવસ બાદ કળશનું કપડું ઉઘાડતા, તેમાંથી માત્ર પથ્થર નીકળતા. મહિલાએ તેની સાથે છેતરપિંડી સાથે બળાત્કાર થયો હોવાની ફરિયાદ સુરતના સરથાણા પોલીસ મથકમાં નોંધાવી હતી. ત્યારે પોલીસે તાંત્રિકની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ઝૂલેલાલ મંદિર ભારત-પાકિસ્તાન અને સમગ્ર વિશ્વમાં વસતા સિંધી સમાજનું આસ્થાનું કેન્દ્ર

આ પણ વાંચો: VADODARA : પુરુષ કરતા મહિલા મતદારની ટકાવારીમાં 10 ટકાથી વધુ તફાવત હોય તેવા 161 બુથ

આ પણ વાંચો: Gondal : હેડ કોન્સ્ટેબલે રાહદારી યુવકનો જીવ બચાવ્યો