Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સોનુ સૂદના ફેન્સે કર્યું કંઈક એવું કે, અભિનેતાને થઇ ચિંતા

04:44 PM May 02, 2023 | Vipul Pandya

બોલિવૂડ એક્ટર સોનુ સૂદની મજબૂત ફેન ફોલોઈંગ છે, જે માત્ર સોશિયલ મીડિયા પર જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ જોવા મળે છે. સોનુ સૂદના ફોટા-વિડિયો પણ સોશિયલ મીડિયા પોસ્ટ ખૂબ જ વાયરલ થાય છે અને ચાહકો તેના પર ઘણો પ્રેમ વરસાવે છે. સાથે જ સોનુ સૂદ પણ લોકોની મદદ માટે હંમેશા તૈયાર રહે છે. સોનુ સૂદ  ઘણીવાર તેના ફેન્સ સાથે હળવી મજાક પમ કરી લેતો હોય છે. હવે ફરી એકવાર કોરોના યુગના મસીહા કહેવાતા અભિનેતાએ એક શાનદાર ટ્વીટ કર્યું છે, જેના કારણે તે ચર્ચામાં આવી ગયો છે.



સોનુ સૂદનું ટ્વીટ
વાસ્તવમાં, એક ટ્વિટર યુઝરે સોશિયલ મીડિયા પર એક ટ્વિટ કર્યું, જેમાં એક વ્યક્તિ બાઇક પર બેઠો છે અને બાઇકની નંબર પ્લેટ પર નંબરની જગ્યાએ અંગ્રેજીમાં લખેલું છે – ‘ધ રિયલ હીરો સોનુ સૂદ સર .’ આ પોસ્ટને શેર કરતા એક ટ્વિટર યુઝરે કેપ્શનમાં લખ્યું – ‘આને કહેવાય સોનુ સૂદ સરનો અસલી ક્રેઝ.’ આ પોસ્ટને રીટ્વીટ કરતા સોનુ સૂદે લખ્યું- ‘તે નિશ્ચિત ચલણ કપાવશે. અને પછીથી તે ચલાણ પણ મારી પાસેથી ભરાવડાવશે.’
સુદીપ – અજયની ટ્વીટ પર સોનુ સૂદે શું કહ્યું?
 આ પહેલા સોનુ સૂદે પણ અજય દેવગન અને કિચા સુદીપ વચ્ચે હિન્દી ભાષાને લઈને કરવામાં આવેલી ટ્વિટ પર પ્રતિક્રિયા આપી હતી. સોનુ સૂદે કહ્યું, ‘મને નથી લાગતું કે હિન્દીને માત્ર રાષ્ટ્રભાષા કહી શકાય. ભારતમાં એક જ ભાષા છે અને તે છે મનોરંજન. તમે કયા ઉદ્યોગમાંથી છો તેનાથી કોઈ ફરક પડતો નથી. જો તમે લોકોનું મનોરંજન કરશો, તો તેઓ તમને પ્રેમ કરશે, તમારો આદર કરશે અને પછી તમને સ્વીકારશે.
સોનુ સૂદ તેલુગુ ફિલ્મ ‘આચાર્ય’માં જોવા મળશે
આ પછી સોનુએ કહ્યું કે સાઉથની ફિલ્મોની સફળતા બાદ હવે હિન્દી ફિલ્મો બનાવવાની રીત બદલાશે. અભિનેતાએ કહ્યું કે ફિલ્મ નિર્માતાઓએ હવે દર્શકોની સંવેદનશીલતાને સમજવી પડશે. તેઓએ જવાબ આપવો પડશે. એ દિવસો ગયા જ્યારે લોકો કહેતા હતા કે તમારું મન છોડી દો. હવે એ લોકો મન છોડશે નહીં અને કોઈ ફિલ્મ માટે હજાર રૂપિયા ખર્ચશે નહીં. સારા સિનેમાને જ સ્વીકારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સોનુ સૂદ ટૂંક સમયમાં રામ ચરણ અને ચિરંજીવીની ફિલ્મ આચાર્યમાં જોવા મળશે. સાથે જ તે આવનારા દિવસોમાં રોડીઝમાં હોસ્ટ તરીકે  જોવા મળશે.