+

SC: સુપ્રીમ કોર્ટે કહ્યું- લોકશાહીમાં મત આપવાનો અધિકાર મહત્વપૂર્ણ છે, મતદારને ઉમેદવાર વિશે માહિતી મેળવવાનો સંપૂર્ણ અધિકાર

સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકશાહી એ બંધારણની આવશ્યક વિશેષતા છે અને મતદાન એ એક વૈધાનિક અધિકાર છે. તેથી, મતદારને ઉમેદવારની સંપૂર્ણ પૃષ્ઠભૂમિ વિશે જાણવાનો અધિકાર છે. તે બંધારણીય ન્યાયશાસ્ત્રનો ભાગ…

સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકશાહી એ બંધારણની આવશ્યક વિશેષતા છે અને મતદાન એ એક વૈધાનિક અધિકાર છે. તેથી, મતદારને ઉમેદવારની સંપૂર્ણ પૃષ્ઠભૂમિ વિશે જાણવાનો અધિકાર છે. તે બંધારણીય ન્યાયશાસ્ત્રનો ભાગ છે.

 

લોકશાહીના બંધારણ  વિશે  સુપ્રિમ કોર્ટ શું  કહ્યું 

જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ અને જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે કહ્યું કે, મત આપવાનો અધિકાર અમૂલ્ય છે. તે લાંબી અને સખત લડાઈની સ્વતંત્રતાનું પરિણામ હતું, જ્યાં નાગરિકને તેના મતાધિકારનો ઉપયોગ કરવાનો અવિભાજ્ય અધિકાર છે. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા કે મદન મોહન રાવની ચૂંટણી અરજી દાખલ કરવાની માન્યતાને યથાવત રાખતા આ અવલોકનો કર્યા હતા. રાવ 2019ની લોકસભા ચૂંટણી ઝહીરાબાદથી ભારત રાષ્ટ્ર સમિતિના નેતા ભીમ રાવ પાટીલ સામે 6,299 મતોથી હારી ગયા હતા. રાવે આરોપ લગાવ્યો હતો કે પાટીલે તેમના ચૂંટણી સોગંદનામામાં ખોટી માહિતી આપી હતી. તેની સામે નોંધાયેલા ફોજદારી કેસોની માહિતી ન આપીને નિયમોનું ઉલ્લંઘન કર્યું.

 

તેલંગાણા હાઈકોર્ટે 2022માં ફગાવી દીધી હતી

ત્યારે આ અરજીને તેલંગાણા હાઈકોર્ટે 2022માં ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે આદેશ પર સ્ટે મૂક્યો હતો અને હાઈકોર્ટને આ મામલે નવેસરથી નિર્ણય લેવા જણાવ્યું હતું. હાઇકોર્ટે ચૂંટણી અરજી દાખલ કરવાની મંજૂરી આપી હતી. સર્વોચ્ચ અદાલતના નિર્ણય સાથે, રાવ દ્વારા પાટીલ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચૂંટણી અરજી પર હવે વિચારણા કરવામાં આવશે.

 

મત આપવાનો મૂળભૂત અધિકાર માન્ય નથી
સર્વોચ્ચ અદાલતે એ હકીકતને વિરોધાભાસી ગણાવી હતી કે લોકશાહી બંધારણનું આવશ્યક પાસું હોવા છતાં, મતદાનના અધિકારને ભારતમાં મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપવામાં આવી નથી. તે માત્ર વૈધાનિક હોવાનું કહેવાય છે.

આ પણ  વાંચો –KARGIL VIJAY DIWAS પર PM મોદીનું ટવીટ, વીર સપૂતોને યાદ કરી કહી આ વાત

 

Whatsapp share
facebook twitter