Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસી માટે કોરોનાના પગલે નિયમો જાહેર થયા,જાણો

08:36 PM Apr 22, 2023 | Vipul Pandya

ચીન સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટે હાહાકાર મચાવેલો છે. ત્યારે ભારતમાં ઓમિક્રોનના નવા વેરિયન્ટનો પગપેસરો થઈ ચૂક્યો છે, જેના કારણે સરકાર એક્શનમાં આવી ગઈ છે અને દરેક રાજ્યને સર્તકતા રાખવા જણાવાયું છે. બીજી બાજુ ગુજરાતમાં આરોગ્ય વિભાગે લોકોને કોરોના સામે લડવા જણાવી દીધું છે. 
શિયાળાની કાતિલ ઠંડીમાં લોકો ફરવાના પ્લાન બનાવી રહ્યા છે, ત્યારે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ફરવા જતાં લોકો માટે એક મહત્વનો નિર્ણય લેવાયો છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ફરવા જતાં લોકો માટે માસ્ક ફરજિયાત પહેરવા જણાવાયું છે. કોરોનાની દહેશતના પગલે ગાઈડલાઈન જાહેર કરાઈ છે. અહીં હજારો દેશી-વિદેશી પ્રવાસીઓએ કોવિડ નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. 

ગુજરાત સરકાર કોરોનાની ચોથી લહેરની આશંકાને પગલે એલર્ટ થઈ ગઈ છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે. સ્ટેચ્યુ જોવા આવતા પ્રવાસીઓ માટે નિયમોનું પાલન કરવા માટેનું ફરમાન કરવામાં આવ્યું છે. અહીં પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સોશ્યલ ડિસ્ટન્સનું પાલન પણ કરવાનું રહેશે. આ માહિતી સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ઓફિશિયલ રીતે ટિવટ કરીને આપી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.