Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

RJ કૃણાલના પિતાએ કર્યો આપઘાત, રેલવેટ્રેક પાસેથી મળ્યો મૃતદેહ

11:29 PM Apr 22, 2023 | Vipul Pandya

અમદાવાદ શહેરના જાણીતા રેડિયો જોકી કૃણાલ ના પિતા (RJ Kunal Father) ઇશ્વરભાઇ વાલાભાઇ દેસાઇએ રેલવે ટ્રેક પર આપઘાત (Suicide) કરીને જીવન ટૂંકાવી દીધું છે. તેમની પાસેથી સ્યૂસાઇડ નોટ પણ મળી આવી હતી. ઇશ્વરભાઇનો જનતા નગર રેલવે ક્રોસિંગ પાસેથી મૃત હાલતમાં દેહ મળી આવ્યો હતો. સોલા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.
જો કે પ્રાથમિક તપાસ દરમિયાન લાશ પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં આરજે કુણાલની પૂર્વ પત્નીના પરિવારજનો સામે આક્ષેપ છે. 
મળતી માહિતી પ્રમાણે, મૃતક ઈશ્વરભાઈ કીધા વગર ઘરેથી નીકળી ગયા હતા.અને સાંજના સમયે સોલા વિસ્તારમાં આવેલા જનતાનગર ફાટક પાસે ઈશ્વર દેસાઈ નામના વ્યક્તિની ડેડબોડી મળી હતી. 
આરજે કુણાલની પૂર્વ પત્ની (RJ Kunal Ex Wife) ભૂમિએ પણ થોડા વર્ષ અગાઉ આત્મહત્યા કરી હતી.આ સમગ્ર બનાવ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામા આવ્યો છે.પોલીસને સમગ્ર તપાસમાં સુસાઇડ નોટ મળી છે. જેની તપાસ કરવામાં આવી રહી ભૂમિ અને કુણાલના લગ્ન 2015ના થયા હતા, પરંતુ લગ્નના બે મહિનાથી પણ ઓછા સમયમાં કુણાલે ભૂમિને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેને લઈને તેણે અમદાવાદના સચિન ટાવર પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. ત્યારે કુણાલ સહિત તેના માતા-પિતા પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો.