+

Parliament Session : આવતીકાલથી શરૂ થશે સંસદનું સત્ર, 26 મીએ સ્પીકરની ચૂંટણી…

18 મી લોકસભાનું પ્રથમ સત્ર (Parliament Session) સોમવાર એટલે કે 24 જૂનથી શરૂ થઇ રહ્યું છે. જેમાં નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવવામાં આવશે. આ પછી, 26 જૂને લોકસભાના અધ્યક્ષની ચૂંટણી…

18 મી લોકસભાનું પ્રથમ સત્ર (Parliament Session) સોમવાર એટલે કે 24 જૂનથી શરૂ થઇ રહ્યું છે. જેમાં નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવવામાં આવશે. આ પછી, 26 જૂને લોકસભાના અધ્યક્ષની ચૂંટણી થશે અને 27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. આ સત્ર (Parliament Session)માં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને સાત વખતના સાંસદ ભરતરિહરિ મહતાબને સંસદ નીચલા ગૃહના કામચલાઉ સ્પીકર (પ્રોટેમ સ્પીકર) તરીકે નિયુક્ત કરવાના કારણે સત્ર (Parliament Session) દરમિયાન લોકસભામાં હોબાળો થવાની સંભાવના છે. આ ઉપરાંત મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET માં ગેરરીતિઓ અને NET પરીક્ષા રદ કરવાને લઈને પણ હોબાળો થઇ શકે છે.

પ્રોટેમ સ્પીકરની નિમણૂકને લઈને વિવાદ…

વિપક્ષે અસ્થાયી પ્રમુખ તરીકે મહતાબની નિમણૂકની આકરી ટીકા કરી છે અને આક્ષેપ કર્યો છે કે સરકારે કોંગ્રેસના સાંસદ કે. સુરેશના દાવાની અવગણના કરવામાં આવી હતી. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું છે કે મહતાબ સાત ટર્મ લોકસભા સભ્ય છે, જે તેમને આ પદ માટે યોગ્ય બનાવે છે.

સવારે 11 વાગ્યાથી કાર્યવાહી શરૂ થશે…

તેમણે કહ્યું કે, સુરેશ 1998 અને 2004 માં ચૂંટણી હારી ગયા હતા, જેના કરણે તેમનો વર્તમાન કાર્યકાળ નીચલા ગૃહમાં તેમનો સતત ચોથો કાર્યકાળ છે. આ પહેલા તેઓ 1989, 1996 માં લોકસભામાં ચૂંટાયા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં મહતાબને લોકસભાના અસ્થાયી અધ્યક્ષ તરીકે શપથ લેવડાવશે. આ પછી મહતાબ સંસદ ભવન પહોંચશે અને સવારે 11 વાગે લોકસભાની કાર્યવાહી શરૂ કરશે.

26 જૂને લોકસભા અધ્યક્ષની ચૂંટણી…

કાર્યવાહીની શરૂઆત થોડી ક્ષણો માટે મૌન પાળવામાં આવશે. આ પછી લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહ નીચલા ગૃહ માટે ચૂંટાયેલા સભ્યોની યાદી રજૂ કરશે. આ પછી મહતાબ લોકસભાના નેતા PM નરેન્દ્ર મોદીને ગૃહના સભ્યપદના શપથ લેવા વિનંતી કરશે. આ પછી, પ્રોટેમ સ્પીકર રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત સ્પીકર્સ સમિતિને શપથ લેવડાવશે જે 26 જૂને લોકસભા અધ્યક્ષની ચૂંટણી સુધી ગૃહની કાર્યવાહી ચલાવવામાં તેમની મદદ કરશે.

રાહુલ ગાંધી NEET પેપર લીકનો મુદ્દો ઉઠાવશે…

તે જ સમયે, મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-ગ્રેજ્યુએટમાં કથિત અનિયમિતતા સંબંધિત વિવાદ વચ્ચે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ સંસદના આગામી સત્ર (Parliament Session)માં વ્યક્તિગત રીતે આ મુદ્દો ઉઠાવશે. તેણે NEET પરીક્ષાના કેટલાક ઉમેદવારો સાથેની વાતચીતથી સંબંધિત એક વીડિયોમાં આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું, ‘જો સરકાર તમારી (વિદ્યાર્થી) સુરક્ષા નહીં કરી શકે, તો વિપક્ષ તમારું રક્ષણ કરશે. હું વ્યક્તિગત રીતે આ મુદ્દો સંસદમાં ઉઠાવીશ અને સરકાર પર સંપૂર્ણ દબાણ બનાવીશ. કોંગ્રેસ NEET ના મુદ્દે શુક્રવારે તમામ રાજ્યના મુખ્યાલયોમાં પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો : Arvind Kejriwal હવે જામીન માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, દિલ્હી હાઈકોર્ટમાંથી મળ્યો ઝટકો

આ પણ વાંચો : Bihar : UGC-NET પેપર લીક મામલામાં તપાસ કરવામાં આવેલી CBI ટીમ સાથે મારપીટ, 4 લોકોની ધરપકડ…

આ પણ વાંચો : Arunachal Pradesh : ઈટાનગરમાં વાદળ ફાટવાથી તબાહી સર્જાઈ, ઘણા વિસ્તારો સાથે સંપર્ક તૂટ્યો…

Whatsapp share
facebook twitter