Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Railway Budget કેમ હવે સંસદમાં રજૂ નથી કરાતું…?

09:58 AM Jul 17, 2024 | Vipul Pandya

Railway Budget : તમને યાદ હશે કે 2017 પહેલા દેશમાં સંસદમાં બે બજેટ રજૂ કરવામાં આવતા હતા. એક રેલવે બજેટ (Railway Budget) અને બીજું સામાન્ય બજેટ. દર વર્ષે દેશના રેલવે મંત્રી રેલવે બજેટ રજૂ કરતા હતા. જો કે વર્ષ 2016 માં, મોદી સરકારે રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે મર્જ કર્યું હતુ અને આ સાથે, 94 વર્ષથી ચાલતી સિસ્ટમનો અંત આવ્યો. બાદમાં આ નિર્ણયની ઘણી ટીકા પણ થઈ હતી, પરંતુ આજે જ્યારે 7 વર્ષ પછી આ નિર્ણયની સમીક્ષા કરીએ છીએ તો તે સંપૂર્ણ રીતે સાચો હોવાનું જણાય છે. રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે મર્જ કરવા પાછળ મુખ્યત્વે 5 કારણો હતા અને આ કારણો જાણ્યા પછી તમે પણ કહેશો કે આ સાચો નિર્ણય હતો.

પ્રથમ રેલવે બજેટ 1924 માં રજૂ કરવામાં આવ્યું

દેશમાં પ્રથમ રેલવે બજેટ 1924 માં રજૂ કરવામાં આવ્યું હતું. તે સમયે રેલવેને ફાળવવામાં આવેલા નાણાં સમગ્ર સામાન્ય બજેટ કરતાં ઘણા વધુ હતા. તેનું કારણ એ હતું કે ભારતીય રેલવેએ બ્રિટિશ નાણાંનો ઉપયોગ કર્યો હતો. બ્રિટિશ સરકાર તેના રોકાણને અસુરક્ષિત બનાવવા માંગતી ન હતી. આ પછી, રેલવે બજેટની પરંપરા ચાલુ રહી અને આખરે વર્ષ 2016 માં, તત્કાલિન રેલ્વે મંત્રી સુરેશ પ્રભુએ નીતિ આયોગના પ્રસ્તાવને સામાન્ય બજેટ સાથે મર્જ કરવાનો સ્વીકાર કર્યો. પરંતુ, નીતિ આયોગે આ નિર્ણય પાછળ 5 મોટા કારણો આપ્યા હતા.

બિનજરૂરી અસુવિધા ટાળો

રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે મર્જ કરવા પાછળનું પહેલું કારણ એ હતું કે તેનાથી બિનજરૂરી અસુવિધા થતી હતી. રેલવે માટે અલગ બજેટ પસાર કરવું એ જૂની પ્રથા હતી અને સમય બદલાતા તે બિનજરૂરી બની ગયું હતું. સમય બચાવવા છેવટે સામાન્ય બજેટની સાથે રજૂ કરવામાં આવ્યું અને બે અલગ-અલગ બજેટની જટિલતા દૂર થઈ.

નાણાંકીય સ્થિતિ સુધારવાનું લક્ષ્ય

રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે મર્જ કરવા પાછળનો એક હેતુ રેલવેની સ્થિતિ સુધારવાનો હતો. જ્યારે આખું બજેટ એકસાથે બનાવવામાં આવ્યું ત્યારે રેલવેને નાણાં ફાળવવાનું સરળ બન્યું. દેશની અર્થવ્યવસ્થામાં રેલ્વેનું ઘણું મહત્વ છે અને સમગ્ર બજેટના પરિદ્રશ્યમાં તેને જોવાનો હેતુ હતો.

લાંબા ગાળાનું આયોજન

સામાન્ય બજેટ અને રેલવે બજેટને એકસાથે રજૂ કરવા પાછળ સરકારનો હેતુ ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ માટે લાંબા ગાળાનું આયોજન કરવાનો હતો. રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું અને ભારતની આર્થિક જરૂરિયાતો અનુસાર મુસાફરોની સુવિધાઓ વધારવી એ પણ સરકાર અને નીતિ આયોગનું લક્ષ્ય હતું.

સરળતા અને જવાબદેહી વધી

સામાન્ય બજેટ અને રેલવેને એકસાથે મર્જ કરવાથી માત્ર પારદર્શિતા જ નથી વધી, જવાબદારી અને જવાબદેહી પણ વધી છે. આનાથી રેલવે માટે જાહેર કરાનારા બજેટનો રીવ્યુ અને ઓડિટ કરવાનું સરળ બન્યું. રેલવેને અન્ય ક્ષેત્રો સાથે જોડીને જોવામાં આવી અને તેનો વિકાસ પણ અન્ય ક્ષેત્રો સાથે સુનિશ્ચિત કરી શકાય.

અન્ય ક્ષેત્રો સાથે વધુ સારું સંકલન

રેલવેને સામાન્ય બજેટ સાથે મર્જ કરવા પાછળનો એક હેતુ પરિવહનના અન્ય મોડ્સ સાથે બહેતર સંકલન બનાવવાનો હતો. જળમાર્ગો, રોડ અને હાઇવેની સાથે રેલવેને પણ પરિવહનનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે અને આ તમામ ક્ષેત્રોની એક જ જગ્યાએ સમીક્ષા કરવી અને તેના માટે બજેટ ફાળવવાનું સરળ બન્યું.

આ પણ વાંચો– Budget 2024 પહેલા નાણા મંત્રાલયમાં યોજાઈ હલવા સેરેમની

આ પણ વાંચો—- NITI Aayog ની નવી ટીમનું ગઠન, PM મોદી જ રહેશે અધ્યક્ષ…