Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

RAM MANDIR : અયોધ્યા રામ મંદિરમાં રણકશે અષ્ટધાતુથી બનેલ આ 600 કિલોનો ભારે ઘંટ

12:55 PM Dec 29, 2023 | Harsh Bhatt

સમગ્ર ભારત હવે રામ નામના રંગે રંગાવા માટે તૈયાર છે. અયોધ્યાના રાજા અને મર્યાદા પુરષોત્તમ શ્રી રામ 22 જાન્યુઆરીના રોજ પોતાના ભવ્ય રામમંદિરમાં બિરાજમાન થવા માટે તૈયાર છે. રામનગરી અયોધ્યા અત્યારે રામલલાના સ્વાગત અને સત્કાર માટે પુરજોશથી તૈયારીમાં લાગી છે. રામ મંદિરમાં સ્થાપિત કરવા માટે એક મોટો ઘંટ પણ લગાવાયો છે, જેનું વજન 600 કિલો છે. આ ઘંટનો મધુર અવાજ ચારેય દિશામાં સંભળાશે.

કેન્દ્ર અને રાજ્ય સરકારો અયોધ્યામાં શ્રી રામ મંદિરને ભવ્ય રૂપ આપવા માટે કામ કરી રહી છે. રામ લલ્લાના અભિષેક સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહેમાનો હાજર રહેશે. આ મહેમાનો માટે રહેવા, ભોજન, પાણી, બેઠક વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સિવાય મંદિરમાં સ્થાપિત રામલલાની મૂર્તિ અને અન્ય વસ્તુઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રામેશ્વરથી એક વિશાળ ઘંટ પણ મુકાયો છે, જેને જોઈને તમે ચોંકી જશો.

600 કિલોની આ ઘંટ રામ મંદિરમાં રણકશે 

શ્રી રામ મંદિરમાં લગાવવામાં આવેલ ઘંટ એટલો ભારે છે કે તેને ઉપાડવા માટે ઘણા લોકોને લાગશે. 600 કિલોની આ ઘંટ પર મોટા શબ્દોમાં જય શ્રી રામ લખેલું છે. આ ઘંટનો અવાજ સાંભળીને ભક્તો ખુશ થઈ જશે. અષ્ટધાતુની બનેલી ઘંટડી બનાવવામાં ઘણા દિવસો લાગ્યા. આ ઈંટની કુલ ઊંચાઈ લગભગ 8 ફૂટ હોવાનું કહેવાય છે. તે અંદરથી 5 ફૂટ ઊંડું અને બહારથી 15 ફૂટ ગોળ છે.

આ પણ વાંચો — Ayodhya : રામલલાની નવી મૂર્તિ કેવી હશે ? આજે થશે મતદાન