+

રાજકોટ કોર્પોરેશનની ઓટીપી આધારીત ફરિયાદ નિવારણ સિસ્ટમને મળ્યો નેશનલ એવોર્ડ

રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)માં વહીવટી સુધારણા ક્ષેત્રે લેવામાં આવી રહેલા પગલાઓ અંતર્ગત ગત વર્ષથી શરૂ કરવામાં આવેલી ઓટીપી આધારીત ફરિયાદ નિવારણ સિસ્ટમને ભારત સરકાર દ્વારા નેશનલ ઇ-ગવર્નન્સ એવોર્ડ આપવામા આવ્યો છે.  ૪૨૬૯૨૦ ફરિયાદ નોંધાઇવધુ ને વધુ નાગરિકો હવે ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે ત્યારે ટેકનોલોજીનાં માધ્યમથી તેઓ પોતાના અનેક પ્રકારના કામો કરી શકે છે અને તેના આધારે
રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)માં વહીવટી સુધારણા ક્ષેત્રે લેવામાં આવી રહેલા પગલાઓ અંતર્ગત ગત વર્ષથી શરૂ કરવામાં આવેલી ઓટીપી આધારીત ફરિયાદ નિવારણ સિસ્ટમને ભારત સરકાર દ્વારા નેશનલ ઇ-ગવર્નન્સ એવોર્ડ આપવામા આવ્યો છે.  
૪૨૬૯૨૦ ફરિયાદ નોંધાઇ
વધુ ને વધુ નાગરિકો હવે ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે ત્યારે ટેકનોલોજીનાં માધ્યમથી તેઓ પોતાના અનેક પ્રકારના કામો કરી શકે છે અને તેના આધારે “ઇઝ ઓફ લિવિંગ”નું સ્તર ક્રમશ: ઉચું જઈ રહયું છે. વર્તમાન સમયમાં ઈન્ટરનેટની સેવાઓ આધારિત મોબાઈલ ફોનના ઉપયોગ કરનાર લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. મોબાઈલ ફોન વડે પણ લોકો તેમના જુદાજુદા પ્રકારના કામો પૂર્ણ કરી શકે છે, અને તેમાં રાજકોટ મહાનગરપાલિકાએ ગત વર્ષ તા. ૧૮/૦૮/૨૦૨૧નાં રોજથી નાગરિકોને ઓટીપી આધારીત ફરિયાદ નિવારણ સિસ્ટમની સેવાઓ ઉપલબ્ધ બનાવી હતી. આ સેવા ખુબ જ લોકભોગ્ય બની. મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ લગત ફરિયાદ નોંધાવતા શહેરીજનો ફરિયાદનો નિકાલ થાય ત્યારબાદ મહાનગરપાલિકાના અધિકારી/કર્મચારી ફરિયાદી નાગરિક પાસેથી ઓટીપી મેળવે છે અને મહાનગરપાલિકાની સિસ્ટમમાં જે તે ફરિયાદનો નિકાલ થયાનું સ્ટેટસ અપડેટ કરી શકે છે. રાજકોટ મહાનગરપાલિકાએ આ સેવા શરૂ કરી ત્યારથી આજ દિન સુધીમાં ૪૨૬૯૨૦ ફરિયાદ તેમાં નોંધાઈ છે.
નેશનલ ઇ-ગવર્નન્સ કોન્ફરન્સમાં અપાયો એવોર્ડ
રાજકોટ મહાનગરપાલિકાના ઓટીપી આધારીત ફરિયાદ નિવારણ સિસ્ટમને ” એક્સલન્સ ઇન ડીસ્ટ્રીક્ટ લેવલ ઇનિશિએટીવ ઇન ઇ-ગવર્નન્સ ” ( Excellence in District level initiative in eGovernance ) કેટેગરીમાં સિલ્વર એવોર્ડ આપવામા આવ્યો છે. આ એવોર્ડ નેશનલ ઇ-ગવર્નન્સ કોન્ફરન્સ દરમિયાન આપવામા આવ્યો હતો. 
 
ગત વર્ષે શરુ કરાઇ સીસ્ટમ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોની ફરીયાદોનો યોગ્ય રીતે અને સમયસર નીકાલ થાય એ માટે ગત વર્ષથી ઓટીપી અને ફીડબેક આધારીત ફરીયાદ નીવરણ સીસ્ટમ શરૂ કરવામા આવી છે. જેમા લોકોને પોતાની ફરીયાદ નોંધાવવા માટે જુદા જુદા ઓપ્શન જેવાકે ૨૪X૭ કોલ સેંટર (ટોલ ફ્રી નંબર- ૧૮૦૦-૧૨૩-૧૯૭૩), વોટ્સએપ (૯૫૧૨૩૦૧૯૭૩), મોબાઇલ એપ, વેબસાઈટ માટે દરેક પ્રકારની ફરીયાદોની નીવારણ અંગેની સમય મર્યાદા નક્કી કરવામા આવી છે તેમજ મોબાઇલ એપ. મારફત નોધવામા આવતી ફરીયાદોનું જીઓ રેફરન્સીંગ પણ કરવામા આવે છે. 
ઓટીપી મોકલીને ફરીયાદનું નિવારણ
સફાઇ, ડ્રેનેજ , પાણીની ફરીયાદોનો નિકાલ સમયે ફરીયાદીને ઓટીપી મોકલવામા આવે છે અને ઓટીપી રામનપાના અધિકારી દ્વારા પોતાની મોબાઈલ એપ પર એન્ટર કર્યા બાદ જ ફરીયાદનો નીકાલ થઈ શકે છે. આ ઉપરાંત શહેરીજનો પાસેથી તેઓની ફરીયાદ બાદ થયેલ કામગીરી તેમજ મનપાના સ્ટાફનાં વર્તન અંગે પણ ફીડબેક લેવામા આવે છે.  આ સીસ્ટમ મારફત નોંધવામા આવતી તમામ ફરીયાદોનું મનપાના કમિશ્નર દ્વારા મોનીટરીંગ તેમજ એનાલીસીસ કરવામા આવે છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter