+

ક્લીન સ્વીપ કરવાની તૈયારી, ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી બે ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાનું એલાન,જાણો કોણે મળ્યું સ્થાન

ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી 2 ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાતછેલ્લા બે ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાતજયદેવ ઉનડકટને ફરી ટીમ ઇન્ડિયા સાથે જોડાયહાલમાં ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. જેમાં અત્યાર સુધી બે ટેસ્ટ મેચ રમાઈ ગયા છે અને તેમાં ટીમ ઈન્ડિયાએ ૨-૦ થી લીડ મેળવી લીધી છે. આ બીજી ટેસ્ટ મેચ પૂર્ણ થયાના થોડા જ સમયમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી. જà
  • ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી 2 ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
  • છેલ્લા બે ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
  • જયદેવ ઉનડકટને ફરી ટીમ ઇન્ડિયા સાથે જોડાય
હાલમાં ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. જેમાં અત્યાર સુધી બે ટેસ્ટ મેચ રમાઈ ગયા છે અને તેમાં ટીમ ઈન્ડિયાએ ૨-૦ થી લીડ મેળવી લીધી છે. આ બીજી ટેસ્ટ મેચ પૂર્ણ થયાના થોડા જ સમયમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી. જેમાં જયદેવ ઉનડકટને ફરી ટીમમાં લેવામાં આવ્યો છે
ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાનો ધબડકો બોલાવી દિધો
હાલમાં ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટેસ્ટ શ્રીમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાએ રવિવારે એટલે કે આજે ટેસ્ટ મેચ પોતાના નામે કરી લીધી છે. મહત્વનું છે કે માત્ર અઢી દિવસમાં ટેસ્ટ મેચ પૂરી કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે ટેસ્ટ મેચ પાંચ દિવસ ચાલતી હોય છે અને મોટા ભાગે પાંચ દિવસ ચાલનારી ટેસ્ટ મેચના પરિણામ પણ ડ્રો થતાં હોય છે ત્યારે આ બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાનો ધબડકો બોલાવી દિધો હતો અને માત્ર અઢી દિવસમાં મેચ જીતી લીધી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ ૨-૦થી લીડ પણ મેળવી લીધી છે

આજનો ટેસ્ટ મેચ પૂર્ણ થયાના થોડા સમયમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ખાસ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ બીજી ટેસ્ટ મેચમાં જયદેવ ઉનડકટને સામીલ કરવામા આવ્યો ન હતો. તો હવે પછીની બંને મેચમાં જયદેવ ઉનડકટની મેચમાં વાપસી થઈ છે. 

શા માટે બહાર કાઢવામાં આવ્યો હતો જયદેવ ઉનડકટને ?
ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં જયદેવ ઉનડકટને બહાર રાખવામાં આવ્યો હતો. કારણ એમ હતુ કે રણજી ટ્રોફી ચાલી રહી હતી અને રણજી ટ્રોફીનો ફાઈનલ મેચ હતો તો આ ફાઈનલ મેચ રમવા માટે જયદેવ ઉનડકટને ટીમ ઈન્ડિયામાંથી બીજી ટેસ્ટમાં બહાર રાખવામાં આવ્યો હતો. મહત્વની વાત તો એ છે કે જયદેવ ઉનડકટની ટીમ સૌરાષ્ટ્રે રણજી ટ્રોફીના ફાઈનલ મેચ જીતીને ખિતાબ જીતી લીધો છે. હવે જયદેવ ઉનડકટ ફરી ટીમ ઈન્ડિયા સાથે છેલ્લી બે ટેસ્ટ મેચમાં ટીમનો ભાગ હશે.
છેલ્લી બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો તેમાં રોહિત શર્મા કેપ્ટન હશે જ્યારે કેએલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, કેએસ ભરત (વિકેટ કિપર), ઈશાન કિશન (વિકેટ કિપર), આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ ઐયર , સૂર્યકુમાર યાદવ , ઉમેશ યાદવ , જયદેવ ઉનડકટનો સમાવેશ કરાયો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter