+

Porbandar Fisherman: માછીમારો દરિયા પહેલા સરકારી સમસ્યાના જાળમાં ફસાયેલા

Porbandar Fisherman: પોરબંદરમાં માછીમારો (Fisherman) જ સરકારી સમસ્યાના જાળમાં ફસાયેલા છે. ત્યારે પોરબંદર (Fisherman) ના માછીમારો લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માટે પસંદ કરેલા ઉમેદવારો પાસે આશા રાખીને બેઠા…

Porbandar Fisherman: પોરબંદરમાં માછીમારો (Fisherman) જ સરકારી સમસ્યાના જાળમાં ફસાયેલા છે. ત્યારે પોરબંદર (Fisherman) ના માછીમારો લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માટે પસંદ કરેલા ઉમેદવારો પાસે આશા રાખીને બેઠા છે કે, તેમની સમસ્યાનું નિરાકરણ વહેલી તકે આવે. હાલ, પોરબંદર (Porbandar) માં માછીમારો (Fisherman) Diesel ના ઊંચા ભાવો, બોટ પાર્કિંગ માટે બંદરમાં જગ્યાનો અભાવ, બંદરમાં રેતીનું દ્રેજીંગ, ફાયર સ્ટેશન, શૌચાલય સહિતના પ્રશ્નોથી પરેશાન છે.

  • પોરબંદરમાં માછીમારો અનેક સમસ્યાઓથી લડી રહ્યા
  • માછીમારો માટે બંદર સ્તરે પ્રાથમિક સુવિધામાં અભાવ
  • કેન્દ્રીય મંત્રી પાસે આશા રાખીને બેઠા છે માછીમારો
Porbandar Fisherman

Porbandar Fisherman

પોરબંદર (Fisherman) ની 4600 નાની મોટી બોટ દરિયામાં ફિશીંગ (Fisherman) કરી રહી છે. તેમાંની 60 ટકા બોટ બંધ હાલતમાં જોવા મળી છે. મોટા ભાગનો માછીમાર (Fisherman) સમાજ બેંક સહિતની લોનમાં ફસાયેલા છે. તો દરિયા કિનારેમાં ફિશિગ કરતા માછીમારો (Fisherman) ને પ્રદૂષણના લીધે માછલીઓ મળતી નથી, જેથી દૂર ઊંડા દરિયામાં જવું પડે છે. પરંતુ Diesel ના ભાવ ઉંચા છે. જેમાં સબસીડી પણ મળતી નથી અને તેના પ્રમાણમાં માછલીઓના ભાવ પણ પૂરતા મળતા નથી.

માછીમારો માટે બંદર સ્તરે પ્રાથમિક સુવિધામાં અભાવ

Fisherman

Fisherman

હાલ પોરબંદર (Porbandar) ના બંદરમાં ફાયર સેફટી નથી,પીવાના પાણી નથી, જોઈએ તેવી મેડિકલ સુવિધા પણ નથી. પોરબંદર (Porbandar) નો માછીમાર (Fisherman) સમાજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પાસે ઘણી આશા છે કે માછીમારો (Fisherman) નો વિકાસ કરશે. તેમજ જેતપુરના કેમિકલ યુક્ત પાણીનો પ્રોજેકટ રદ કરાવે અને Diesel માં એકસાઇઝ ડ્યુટી ઘટાડે તેવી અપેક્ષાઓ માછીમારો રાખી રહ્યાં છે.

કેન્દ્રીય મંત્રી પાસે આશા રાખીને બેઠા છે માછીમારો

Fisherman

Fisherman

 

માછીમારો (Fisherman) ની સમસ્યા આજકાલની નથી વર્ષોથી બંદરની પ્રાથમિક સુવિધાઓ વધારવા રજુઆત કરે છે. Diesel ના ભાવ માટે અનેક વખત લડત લડી ચુક્યા છે. હવે કેન્દ્રીય મંત્રી પોરબંદરમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે માછીમારો (Fisherman) ની સમસ્યાઓનું જલ્દી નિરાકરણ આવે તો માછીમારી ઉદ્યોગ ધમધમતો થાય સરકારને પણ હૂંડિયામણની આવક વધે તેમ છે.

આ પણ વાંચો: Protest Against Parshottam Rupala: ક્ષત્રિય સમાજના આગેવાનોએ જાહેરનામાનો ભંગ કરી પુતળા સળગાવ્યા

આ પણ વાંચો: Mahisagar Lake: વિકસિત ગુજરાતમાં છેલ્લા 20 વર્ષીથી આસપુર ગામનું તળાવ માત્ર માટીનું મેદાન

આ પણ વાંચો: Gujarat Reservoir Report: ગુજરાતના જળાશયોની સ્થિતિ દયનીય, ભવિષ્યમાં પાણીના કારણે….

Whatsapp share
facebook twitter