PM મોદી લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ગુરુદ્વારા (Gurdwara) પટના સાહિબ પહોંચ્યા. અહીં તેમણે સેવા કરી અને લંગરમાં બેઠેલા ભક્તોને ભોજન પણ પીરસ્યું. લોકસભા ચૂંટણી વચ્ચે પોતાના બિહાર પ્રવાસના બીજા દિવસે સોમવારે PM મોદી પટના શહેરના તખ્ત શ્રી હરમંદિર સાહિબ ગુરુદ્વારા (Gurdwara) પહોંચ્યા હતા. PM એ અહીં માથું નમાવીને પ્રાર્થના કરી હતી. આ પછી PM લંગર ચાલતું હતું ત્યાં પહોંચ્યા અને અહીં ભોજન બનાવ્યું. આ દરમિયાન વડાપ્રધાને રોટલી પણ બનાવી હતી. તેમણે લંગરમાં લોકોને પોતાના હાથે ભોજન પણ પીરસ્યું હતું.
વિડિઓ જુઓ
લંગર પીરસતી વખતે તેમણે કેસરી રંગની પાઘડી પહેરી હતી…
તખ્ત શ્રી પટના સાહિબ, જેને તખ્ત શ્રી હરમંદિર જી પટના સાહિબ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પટનામાં સ્થિત શીખોના પાંચ તખ્તોમાંથી એક છે. તખ્તનું નિર્માણ 18 મી સદીમાં મહારાજા રણજીત સિંહ દ્વારા ગુરુ ગોવિંદ સિંહના જન્મસ્થળને ચિહ્નિત કરવા માટે કરવામાં આવ્યું હતું. PM એ માથા પર પાઘડી પહેરી હતી. તેઓ લગભગ 20 મિનિટ સુધી ગુરુદ્વારા (Gurdwara)માં રહ્યા. રવિશંકર પ્રસાદ અને અશ્વિની ચૌબે પણ તેમની સાથે હાજર હતા. આ પહેલીવાર છે જ્યારે કોઈ PM પટના સાહિબ ગુરુદ્વારા (Gurdwara) પહોંચ્યા છે.
#WATCH बिहार: प्रधानमंत्री नरेंद्र मोदी पटना के गुरुद्वारा पटना साहिब में लंगर परोसते नजर आए। pic.twitter.com/IgPWMJAyON
— ANI_HindiNews (@AHindinews) May 13, 2024
પટના શહેરમાં ઠેર-ઠેર સુરક્ષા દળો તહેનાત છે…
વડાપ્રધાનના આગમનને લઈને પટના શહેરના દરેક ખૂણા પર પોલીસ દળો તહેનાત કરવામાં આવ્યા છે. PM મોદી પટનાના ઈકો પાર્ક પહોંચ્યા હતા. જેને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. PM ના કાર્યક્રમને લઈને શીખ સમુદાયના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તખ્ત શ્રી હરવિંદર સાહિબ ગુરુદ્વારા (Gurdwara)ને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ગુરુદ્વારા (Gurdwara)ની આસપાસના તમામ રસ્તાઓ અને ઘરોની યાદી બનાવવામાં આવી છે, જેના પર વહીવટીતંત્ર ખાસ નજર રહેશે. છેલ્લા બે દિવસથી આ મકાનો અને રસ્તાઓ પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.
#WATCH बिहार: प्रधानमंत्री नरेंद्र मोदी ने पटना के गुरुद्वारा पटना साहिब में दर्शन और सेवा की। pic.twitter.com/cRldWx00Zb
— ANI_HindiNews (@AHindinews) May 13, 2024
પટનામાં PM નો રોડ શો…
તેણે એક દિવસ પહેલા પટનામાં રોડ શો કર્યો હતો. બિહારમાં ક્યાંય રોડ શો કરનાર મોદી પહેલા વડાપ્રધાન છે. રોડ શો દરમિયાન વડાપ્રધાનની સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી અને સ્થાનિક સાંસદ રવિશંકર પ્રસાદ પણ હતા. ટ્વીટર પર પોતાની એક પોસ્ટમાં રોડ શો અંગે વડાપ્રધાને કહ્યું, પટનાના મારા પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર. આજના રોડ શોમાં તમારા બધાનો અભૂતપૂર્વ ઉત્સાહ અને અપાર ઊર્જા મળી છે. ખાસ કરીને અમારા યુવા મિત્રો અને માતા-બહેનોએ જે રીતે તેમાં ભાગ લીધો અને ભરપૂર આશીર્વાદ આપ્યા તે દર્શાવે છે કે શહેરની જનતાનું ભાજપ-NDA સાથે કેટલું ઊંડું જોડાણ છે. આનાથી વિકસિત પટનાના સંકલ્પને સાકાર કરવાની ભાવના વધુ પ્રબળ બની છે.
बिहार: प्रधानमंत्री नरेंद्र मोदी ने पटना के गुरुद्वारा पटना साहिब में ‘सेवा’ की और लंगर परोसा। pic.twitter.com/A5B3t9c28s
— ANI_HindiNews (@AHindinews) May 13, 2024
PM મોદીએ લોકોને કહ્યું…
તેમણે વધુમાં કહ્યું કે, માતા ગંગાના કિનારે આવેલી પાટલીપુત્રની આ ભૂમિ પ્રાચીન કાળથી લઈને આઝાદીની ચળવળ સુધીના ઘણા મહત્વપૂર્ણ સમયગાળાની સાક્ષી રહી છે. NDA સરકાર ‘વિરાસત અને વિકાસ પણ’ના મંત્ર સાથે આ સ્થળની ધરોહરને જાળવવામાં વ્યસ્ત છે. બિહાર વિધાનસભાના 100 વર્ષ પૂર્ણ થયાની સ્મૃતિમાં બનાવવામાં આવેલ શતાબ્દી સ્મારક સ્તંભ તેનું જીવંત ઉદાહરણ છે. શહેરના લોકોનું જીવન સરળ બનાવવા માટે અમે રોડ, રેલ અને એર કનેક્ટિવિટી વધારવામાં કોઈ કસર છોડી નથી. પટના-હાવડા વંદે ભારત એક્સપ્રેસ હોય કે પટના-વારાણસી વચ્ચેની ટ્રેન હોય, રેલવે જંક્શન પર સુવિધાઓનું વિસ્તરણ હોય કે પછી એરપોર્ટ પર ડોમેસ્ટિક ટર્મિનલ બિલ્ડીંગ અને ઈન્ક્યુબેશન સેન્ટર હોય, અમારી સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ઘણું ધ્યાન આપ્યું છે.
આ પણ વાંચો : Arvind Kejriwal પર સ્વાતિ માલીવાલનો સનસનાટીભર્યો આરોપ, પૂર્વ PA દ્વારા માર મારવામાં આવ્યો…
આ પણ વાંચો : PM મોદીનો 5 KM લાંબો રોડ શો, સ્વાગત માટે વારાણસી તૈયાર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ…
આ પણ વાંચો : Rajasthan : એરપોર્ટ બાદ 6 થી વધુ શાળાઓને મળી બોમ્બની ધમકી, બાળકોને બહાર કાઢ્યા…