Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PM Modi : ગુજરાતના સ્થાપના દિવસે PM મોદી આવશે ‘વતન’માં

07:59 PM Apr 23, 2024 | Hiren Dave

PM Modi : લોકસભા ચૂંટણીના (Lok Sabha Elections)ધમધમાટની વચ્ચે 7મી મે એ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 25 બેઠકો પર મતદાન થવાનુ છે. ત્યારે ગુજરાતના (Gujarat) ચૂંટણીના પ્રચાર મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પણ પ્રચાર અર્થે આવશે. PM મોદી 1લી મેએ ગુજરાત સ્થાપના દિવસે દાહોદમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવાના છે. તેમજ લીમખેડામાં PM મોદીની જનસભાનું આયોજન કરાયુ છે.

 

પંચમહાલ અને દાહોદમાં  PM મોદી કરશે સભા

PM મોદી પંચમહાલ અને દાહોદના (Dahod) ભાજપના ઉમેદવારોના પ્રચારાર્થે જનસભાઓને સંબોધવાના છે.પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ અને દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરનો વડાપ્રધાન ચૂંટણી પ્રચાર કરશે.વડાપ્રધાનના આગમનને પગલે તંત્ર અને ભાજપ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

ગુજરાત સ્થાપના દિવસે PM મોદી વતનમાં

1લી મેએ ગુજરાત સ્થાપના દિવસ હોવાથી PM મોદીની આ મુલાકાત ઘણી સૂચક ગણાઈ રહી છે.આ અગાઉ PM મોદી 12 માર્ચે અમદાવાદ ગાંધી આશ્રમના ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત આવ્યા હતા. આ દરમિયાન તેમણે હજારો કરોડના વિકાસકામોની ભેટ, દ્રારકા, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગરને આપી હતી.

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગ

હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ રાજકોટ બેઠક પર 9 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું. બીજી તરફ વડોદરામાં 14 ઉમેદવારો અને જામનગરમાં 14 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે તો સાથે નવસારી બેઠક પર પણ 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. ઉપરાંત પોરબંદરમાં 12 ઉમેદવારો મેદાને છે અને ખેડા લોકસભાની ચૂંટણીમાં 12 ઉમેદવારો મેદાનમાં છે તો સાથે જૂનાગઢ બેઠક પર 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. આણંદમાં 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. બારડોલી બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને BSP વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે અને અહીં 3 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.

 

આ  પણ  વાંચો – BJP : અમરેલી અને ભાવનગર બેઠક જીતવા માટે ખાસ પ્લાન તૈયાર

આ  પણ  વાંચો – LOKSABHA 2024 : ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર, 266 ઉમેદવારો ઉતરશે ચૂંટણી મેદાનમાં

આ  પણ  વાંચો Saurashtra : સુરતમાં ભાજપની બિનહરીફ જીત થતા હવે નવી રણનીતિ તૈયાર