+

રાજકોટ ખાતે PMશ્રીએ આ બે નેતાઓ સાથે વિશેષ ચર્ચા કરતા અનેક તર્ક-વિતર્ક

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ (Narendra Modi) આજે રાજકોટ ખાતે ભવ્ય રોડ-શો કર્યાં બાદ સભા પણ યોજી હતી. રાજકોટમાં કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટના (Rajkot) બે દિગ્ગજ નેતાઓ સાથે સુચક ચર્ચા કરી હતી. વડાપ્રધાનશ્રીએ રાજકોટના બે નેતાઓ સાથે વિશેષ ચર્ચા કરતા અનેક તર્ક-વિતર્કો સામે આવી રહ્યાં છે ત્યારે વડાપ્રધાનશ્રીએ આ બન્ને નેતાઓ સાથે ચર્ચા કરતા અનેક અટકળો વહેતà
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ (Narendra Modi) આજે રાજકોટ ખાતે ભવ્ય રોડ-શો કર્યાં બાદ સભા પણ યોજી હતી. રાજકોટમાં કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટના (Rajkot) બે દિગ્ગજ નેતાઓ સાથે સુચક ચર્ચા કરી હતી. વડાપ્રધાનશ્રીએ રાજકોટના બે નેતાઓ સાથે વિશેષ ચર્ચા કરતા અનેક તર્ક-વિતર્કો સામે આવી રહ્યાં છે ત્યારે વડાપ્રધાનશ્રીએ આ બન્ને નેતાઓ સાથે ચર્ચા કરતા અનેક અટકળો વહેતી થઈ છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આજે રાજકોટ ખાતે સભા પૂર્ણ કરી લોકોનું અભિવાદન કરી મંચ પરથી નિકળી રહ્યાં હતા ત્યારે  વડાપ્રધાનશ્રીએ બે નેતાઓ સાથે ચર્ચા કરી હતી. વડાપ્રધાનશ્રીએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી (Vijay Rupani) અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા (Vajubhai Vala) સાથે ચર્ચા કરી હતી. રાજકોટના આ બંન્ને નેતાઓ સાથે વડાપ્રધાનશ્રીની અતિસૂચક ચર્ચા સ્થાનિક રાજનીતિમાં ખુબ મહત્વની માનવામાં આવી રહી છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા વડાપ્રધાનશ્રી સાથે શું ચર્ચા થઈ તે જાણવાનો આ મહાનુભાવો પાસેથી જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમના તરફથી કંઈ આવો જવાબ મળ્યો. જુઓ આ વિડીયો…
Whatsapp share
facebook twitter