Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Pashupati Kumar Paras: જો NDA પશુપતિ પારસના સાંસદોનું આગામી સમયમાં નહીં વિચારે, તો….

06:35 PM Mar 15, 2024 | Aviraj Bagda

Pashupati Kumar Paras: આજરોજ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને Rashtriya Lok Janshakti Party ના પ્રમુખ પશુપતિ પારસે જાહેરમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે નિવેદન આપતા NDA પર કટાક્ષ કર્યો છે.

  • 5 સાંસદો BJP ની યાદીમાં તેમના નામની રાહ જોઈ રહ્યા
  • RLJP સંસદીય બોર્ડની બેઠક યોજાઈ હતી
  • મહેબૂબ અલી કૈસર મીટિંગમાં હાજર રહ્યા ન હતા

Rashtriya Lok Janshakti Party ના પ્રમુખ પશુપતિ પારસે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, આપતા તેમના ભત્રીજા ચિરાગ પાસવાનને પણ આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે અમારી પાર્ટી દલિત પાર્ટી છે અને અમે 5 સાંસદ છીએ. બિહારમાં ત્રણ ટિકિટ આપવામાં આવી છે. આ ખોટો સંદેશો મોકલી રહ્યો છે. હું ભાજપની યાદી આવે તેની રાહ જોઈ રહ્યો છું.

5 સાંસદો BJP ની યાદીમાં તેમના નામની રાહ જોઈ રહ્યા

તેમણે વધુમાં કહ્યું, અમે હાજીપુરથી ચૂંટણી લડીશું. અમે 3 સાંસદો જ્યાં પણ સાંસદ છીએ, ત્યાંથી ચૂંટણી લડીશું. તો ભાજપના મોટા નેતાઓએ ફરી વિચારવું જોઈએ. અમે આજ સુધી NDA Alliance નો ભાગ છીએ. ઈમાનદારીથી મિત્રતા નિભાવી. હું PM Modi અને Central Home Minister Amit Shah નું સન્માન કરું છું. અમારી પાર્ટીના 5 સાંસદો છે. NDA એ અમારી પાર્ટીને પ્રાથમિકતા આપી નથી, જેના કારણે પાર્ટી નિરાશ છે. કારણે… 5 સાંસદો BJP ની યાદીમાં તેમના નામની રાહ જોઈ રહ્યા છે.

RLJP સંસદીય બોર્ડની બેઠક યોજાઈ હતી

જોકે દિલ્હીમાં RLJP સંસદીય બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠક દિલ્હીમાં પશુપતિ પારસના નિવાસસ્થાને યોજાઈ હતી. જેમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ પશુપતિ પારસ, સંસદીય બોર્ડના અધ્યક્ષ સૂરજભાન સિંહ, સાંસદ પ્રિન્સ રાજ, સાંસદ ચંદન સિંહ અને સંસદીય બોર્ડના સભ્યો હાજર રહ્યા હતા.

મહેબૂબ અલી કૈસર મીટિંગમાં હાજર રહ્યા ન હતા

પશુપતિ પારસના ઘરે આયોજિત RLJP સંસદીય બોર્ડની બેઠકમાં મહેબૂબ અલી કૌસર ગાયબ જોવા મળ્યા હતા. ત્યારે NDA અને મહાગઠબંધન બંને બિહારમાં લોકસભા ચૂંટણી માટે સીટની વહેંચણીને લઈને સામસામે છે. પશુપતિ પારસે કહ્યું, પાસવાન સમુદાયના 3 વર્તમાન સાંસદોને ટિકિટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: US State Department About CAA: CAA ના અમલ પર અમેરિકાએ ભારત વિરોધ આપ્યું નિવેદન

આ પણ વાંચો:Kanshiram Birth Anniversary: સુરેન્દ્રનગરમાં બસપા પાર્ટીના સંસ્થાપકની જન્મજંયતી ઊજવાઈ

આ પણ વાંચો: Lok Sabha Election: ચૂંટણીને લઈને ગુજરાત ફર્સ્ટનું એનાલિસિસ, જાણો ચૂંટણીની તમામ વિગતો