Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમદાવાદથી ગોંડલ પિયરમાં સાતમ આઠમનાં તહેવાર માણવા આવેલી પરિણિતાનું અકસ્માતમાં પતિની નજર સામે જ મોત

03:49 PM Sep 08, 2023 | Vishal Dave

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોડલ

જન્માષ્ટમીના તહેવારો ઉજવવા અમદાવાદ થી ગોંડલ માવતરને ત્યાં આવેલી પરણિતા પતિ સાથે કૃષ્ણ જન્મોત્સવ જોઇને બાઈક પર પતિ સાથે ઘર તરફ જઈ રહી હતી, ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં પતિની નજર સામે પત્નિનું મોત નિપજ્યુ હતુ.સાતમ આઠમના તહેવારોમા બનેલી ઘટનાને લઈ ને પરીવારમાં રોકકળ મચી જવા પામી હતી.બનાવ અંગે બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરીછે.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ પિયર ધરાવતી અને અમદાવાદ પતિ સાથે રહેતી બીનાબેન કેતનભાઈ વેકરીયા ઉ.૩૯ જેતપુર રોડ પર આવેલાં દાસીજીવણ પાર્ટી પ્લોટમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી જોઈ પતિ સાથે બાઈક પર કૃષ્ણનગર પોતાના ઘર તરફ જઈ રહી હતી ત્યારે રાત્રીનાં દોઢના સુમારે ત્રણ ખુણીયા પાસે માતેલા સાંઢની માફક ધસી આવેલાં અજાણ્યાં ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા પતિ પત્ની બાઈક સાથે ફંગોળાઇ રોડ પર પટકાતા બીનાબેનને ગંભીર છજા પંહોચતા ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યા સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યુ હતુ.

મૃતક બીનાબેન અમદાવાદના ઘાટલોડીયામા પતિ કેતનભાઈ તથા એક પુત્ર સાથે રહેતા હતા.. કેતનભાઈ વેકરીયા હાર્ડવેરનો ધંધો કરે છે.બીનાબેનના પિતા ગોંડલ કૃષ્ણનગરમાં રહેછે.સાતમ આઠમ ના તહેવારો હરખભેર માવતર કરવા આવેલી પરણિતા નુ અકસ્માતમાં મોત નિપજતા પરીવાર શોકમગ્ન બન્યો હતો.બનાવ અંગે બી’ડીવીઝન પોલીસ મથક ના હીતેષભાઇ પરમારે તપાસ હાથ ધરી છે.