પંચરત્ન લાડુ બનાવવા માટેની સામગ્રી:
1 વાટકી સફેદ તલ
1 વાટકી શીંગદાણા
1 વાટકી કોપરાનું છીણ
1 વાટકી મગજતરીના બી
1 વાટકી બી વગરની ખજૂર
ડેકોરેશન માટે ચોકલેટ અને ઝીણી ખડી સાકર
પંચરત્ન લાડુ બનાવવા માટેની રીત:
- સૌ પ્રથમ ખજૂર સિવાયની બધી સામગ્રી શેકી લો.
- પછી આ સામગ્રીનો ભૂક્કો કરીને તેમાં બી કાઢેલી ખજૂર મિક્ષ કરીને લાડવા વાળી લો.
- ચોકલેટ અને ઝીણી ખડી સાકરથી ડેકોરેશન કરીને ભોગ ધરાવો.
- ડેકોરેશન માટે પણ તમારી પસંદગીની કોઈ પણ વસ્તુ લઈ શકો છો.
- આ વાનગી 3-4 દિવસ સુધી સારી રહે છે.