તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુ (Chandrababu Naidu)ને કથિત કૌશલ્ય વિકાસ નિગમ કૌભાંડ કેસમાં રવિવારે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા.
14 દિવસ સુધી રાજમુંદરી સેન્ટ્રલ જેલમાં રખાશે
પૂર્વ મુખ્યમંત્રી નાયડુને 14 દિવસ સુધી રાજમુંદરી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવશે. તેને ધ્યાનમાં રાખીને જેલની આસપાસ કલમ 144 લગાવી દેવામાં આવી છે. તેમને શનિવારે (8 સપ્ટેમ્બર) બપોરે 3.40 વાગ્યે તબીબી તપાસ માટે વિજયવાડાની સરકારી જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ પહેલા તેમની લગભગ 10 કલાક પૂછપરછ કરવામાં આવી હતી.
એન ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરાઇ હતી
CID ટીમે શનિવારે (9 સપ્ટેમ્બર) સવારે લગભગ 6 વાગ્યે નંદ્યાલ શહેરના જ્ઞાનપુરમ ખાતે આરકે ફંક્શન હોલની બહારથી પૂર્વ કેન્દ્રીય મંત્રી નાયડુની ધરપકડ કરી હતી. નાયડુ તમામ સુવિધાઓથી સજ્જ પોતાની બસમાં સૂતા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
TDPએ શું કહ્યું?
આ દરમિયાન એન ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપીએ સમગ્ર મામલાને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો કર્યો કે નાયડુ વિરુદ્ધ ખોટા કેસ નોંધવામાં આવ્યા છે અને રાજ્યના લોકો તેમની સાથે છે.
CIDએ શું કહ્યું?
CIDએ કહ્યું કે એન ચંદ્રબાબુ નાયડુએ પૂછપરછ દરમિયાન સહકાર આપ્યો ન હતો. તેમણે અમારા પ્રશ્નોના અસ્પષ્ટ જવાબો આપ્યા અને કહ્યું કે તેમને કેટલીક બાબતો યાદ નથી. નાયડુને નોટ ફાઈલોના આધારે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જે આ ‘કેસ ડાયરી’ સંબંધિત પુરાવાનો ભાગ છે, પરંતુ તેમણે પ્રશ્નોના જવાબ આપતી વખતે સહકાર આપ્યો ન હતો અને અસ્પષ્ટ જવાબ આપ્યો હતો કે તેમને હકીકતો યાદ નથી.
સરકારે શું કહ્યું?
સરકારના સલાહકાર એસ રામકૃષ્ણ રેડ્ડીએ જણાવ્યું હતું કે આર્થિક ગુનાના કેસમાં પોલીસે ધરપકડ પહેલા નોટિસ આપવાની જરૂર નથી. તેમણે કહ્યું કે એફઆઈઆરમાં આરોપીનું નામ ન હોય તો પણ નોટિસ આપવાની જરૂર નથી.
શું છે મામલો?
આંધ્રપ્રદેશ પોલીસે શનિવારે કથિત કૌશલ્ય વિકાસ નિગમ કૌભાંડમાં નાયડુને મુખ્ય કાવતરાખોર ગણાવ્યા હતા. આ કથિત કૌભાંડને કારણે રાજ્ય સરકારને 300 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો આરોપ છે.
આ પણ વાંચો—-ફ્રાંસના રાષ્ટ્રપતિએ કહ્યું ભારત પોતાના સિદ્ધાંતો પ્રત્યે વફાદાર, શાંતિ અને એકતા માટે કરી રહ્યુ છે મેજબાની